By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર પેલેસમાં યોગાસનો કરશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર પેલેસમાં યોગાસનો કરશે
GeneralNational

વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર પેલેસમાં યોગાસનો કરશે

HM News
Last updated: 21/06/2022 7:23 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કર્ણાટકના મૈસૂર પેલેસના પરિસરમાં યોગાસનો કરશે.તેમની સાથે ૧૫ હજાર લોકો યોગાસનો કરશે.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકોને યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર થવાની અપીલ કરી હતી.આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘે યોગ દિવસ માટે માનવતાની થીમ રાખી છે.માનવતા માટે યોગાસનો એવી થીમ સાથે દુનિયાના ૧૯૦ દેશોમાં યોગ દિવસની ઉજવણી થશે અને એમાં અંદાજે ૨૫ કરોડ કરતાં વધુ લોકો ભાગ લઈને યોગાસનો કરશે.

૭૫ કેન્દ્રીય મંત્રીઓ દેશના વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ૭૫ સ્થળોએ યોગાસનો કરશે.તે સિવાય ભારતીય જનતા પાર્ટીએ દેશના અલગ અલગ શહેરોમાં ૭૫ હજાર સ્થળોએ યોગાસનો કરવાની જાહેરાત કરી હતી.દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો હોવાથી ૭૫ હજાર સ્થળોને પસંદ કરાયા છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નોઈડાના યોગ સત્રમાં જોડાશે.ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લેશે.

ગૃહમંત્રી નાસિકના પવિત્ર જ્યોતિર્લિંગ ત્ર્યમ્બકેશ્વર મંદિરના કાર્યક્રમમાં જોડાશે.કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અયોધ્યામાં,ધર્મેન્દ્ર પ્રધાન હિમાચલ પ્રદેશમાં આવેલા કાંગડાના કિલ્લામાં યોગાસનો કરશે.આગરાના તાજમહેલ સહિતના યુપીના કેટલાય સ્થળોએ યોગ દિવસ નિમિત્તે નિઃશુલ્ક પ્રવેશ અપાશે.ફતેહપુર સિકરી,આગરાનો કિલ્લો,પંચ મહેલ જેવા સ્થળોએ જવા માટે એન્ટ્રી ફી માફ કરવામાં આવી છે.ઉત્તર પ્રદેશના બધા જ મદરેસામાં યોગ દિવસની ઉજવણી થશે.

મદરેસા બોર્ડના રજિસ્ટારે નોટિફિકેશન જારી કર્યું હતું.રાજ્યોના મુખ્યમંત્રીઓ અલગ અલગ સ્થળોએ જઈને યોગ દિવસ ઉજવશે.નેપાળના વિખ્યાત ધરાહરા ટાવરમાં યોગ દિવસની પૂર્વ સંધ્યાએ યોગા ફોર હ્મુમાનિટી એવો મેસેજ આપવામાં આવ્યો હતો.નેપાળમાં યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૧૧મી ડિસેમ્બરે જાહેરાત કરી હતી એ પ્રમાણે ભારતના સૂચન પ્રમાણે ૨૧મી જૂને દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે.૨૦૧૫થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.દર વર્ષે ૨૦થી ૨૫ કરોડ લોકો આ ઉજવણીમાં ભાગીદાર બને છે.

દમણમાં મિલકતના ઝઘડામાં ત્રીજી પત્નીએ પતિની હત્યા કરી દેતા ચકચાર
સુબ્રમણ્યમ સ્વામીની માગ- આવતીકાલ સુધીમાં અમિત માલવીયને હટાવે BJP
ચીનના વૈજ્ઞાનિકે કોરોનાને લઇ કર્યો મોટો દાવો…તો ચાર સપ્તાહમાં ગાયબ થઇ જશે વિશ્વભરનો કોરોના
FRCએ ફી નક્કી નહીં કરતાં સ્કૂલો-વાલીઓ મૂંઝવણમાં, સ્કૂલો ઉઘરાણી કરે છે, વાલીઓ નિર્ણયની રાહ જુએ છે
AAPના ઉમેદવાર કંચન જરીવાલા ગાયબ : સુરત પૂર્વ બેઠકના ઉમેદવારી પાછી ખેંચી
Share This Article
Facebook Email Print
Previous Article માનવતા માટે યોગ : આજે વિશ્વભરમાં ઉજવણી
Next Article સૈન્યની ત્રણેય પાંખના વડા પીએમ મોદીને અગ્નિપથનો રીપોર્ટ આપશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up