નવસારીના વાંસદા તાલુકાથી હદયદ્રાવક ઘટના સામે આવી છે.વાંસદાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંના સમાચાર છે.એકના એક પુત્રએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરતા માતા-પિતાએ પણ ફાંસો ખાઈ કર્યો આપઘાત કરી લીધો છે.એક જ પરિવારના ત્રણ સભ્યો એક જ ઝાડ પર ફાંસીએ ઝૂલતા દેખાતા ગામ લોકો પણ શોકની લાગણી પ્રસરી હતી.વાંસદા પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.પોલીસે ત્રણેયના મૃતદેહો નીચે ઉતારી પીએમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા છે.


