– ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી MSME પલ્સમાં ખુલાસો : વૃદ્ધિને વેગ આપવા નાણાકીય સહાય માટે મજબૂત માળખું ધરાવતી એમએસએમઈ સૌથી વધુ પાત્રતા ધરાવે છે
ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી એમએસએમઈ પલ્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે,ડિફોલ્ટ કરનાર મોટા કોર્પોરેટની સરખામણીમાં તમામ એમએસએમઈ સેગમેન્ટમાં ડિફોલ્ટ રેટ ઓછો રહ્યો છે.જ્યારે જાન્યુઆરી,૨૦૨૦માં મોટા કોર્પોરેટ માટે નોન-પર્ર્ફોમિંગ એસેટ્સ (એનપીએ) રેટ ૧૯.૭ ટકા હતો,ત્યારે એમએસએમઈ સેગમેન્ટમાં એનપીએનો દર ૧૨.૫ ટકા હતો.ભારતમાં જાન્યુઆરી,૨૦૨૦માં કુલ ઓન-બેલેન્સ શીટ વાણિજ્યિક ધિરાણ રૂ. ૬૪.૬૫ લાખ કરોડ હતું,જેમાંથી એમએસએમઈ સેગમેન્ટમાં ધિરાણ રૂ.૧૭.૭૫ લાખ કરોડ હતું.કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં એમએસએમઈ સેગમેન્ટમાં માઇક્રો સેગમેન્ટનાં ઋણધારકોને કુલ નવું રૂ.૯૨,૨૬૨ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું.એમએસએમઈ પલ્સની આ એડિશનમાં એમએસએમઈની માળખાગત ક્ષમતાનું મૂલ્યાંકન અને રોગચાળાની સ્થિતિમાં સારી સ્થિતિ જાળવી રાખનાર કંપનીઓનું વર્ગીકરણ કરતો અભ્યાસ આવરી લેવાયો છે.
રોગચાળાની સ્થિતિ અગાઉ ધિરાણનો ઓછો ઉપયોગ કરનારી અને વધારે નાણાકીય પ્રવાહિતતા કધરાવતા એમએસએમઈ સારી પોઝિશન જાળવી રાખશે એવી અપેક્ષા છે.સિબિલ એમએસએમઈ રેન્ક (સીએમઆર) અને એમએસએમઈના ધિરાણનો વપરાશ આ બંને પાસાંનો ઉપયોગ એમએસએમઈની પોઝિશનને સમજવા માટે થાય છે.આ ધારણાને અગાઉની બે ઘટનાઓનું પીઠબળ પ્રાપ્ત છે – સીએમઆર એ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલને આવરી લે છે,જે જુલાઈ, ૨૦૧૭માં શરૂ થયો હતો, ત્યારે બીજું પાસું જુલાઈ, ૨૦૧૮થી શરૂ થયેલા ગાળાને આવરી લે છે,જેમાં એનબીએફસીમાં તરલતાની ખેંચ ઊભી થઈ હતી અને માર્ચ ૨૦૧૯ પછી એમએસએમઈમાં ધિરાણની વૃદ્ધિ ધીમી પડી હતી.આ બંને સમયગાળા દરમિયાન સીએમઆર અને એમએસએમઈના ધિરાણના વપરાશને સમજીને અમે અગાઉનાં પરિવર્તનકારક તબક્કામાં પ્રવેશ કરતાં અગાઉ તેમની પોઝિશનને સમજી શકીએ છીએ તથા પછીના ૧૨ મહિનામાં તેમના પર્ફોર્મન્સ પર ટ્રેક રાખી શકાશે.એનાથી કંપની રોગચાળાની વર્તમાન સ્થિતિમાં સ્થિરતા જાળવી શકશે કે નહીં એની ધારણા બાંધવામાં મદદ મળી શકે છે.
આ અભ્યાસના તારણો વિશે ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઇઓ રાજેશ કુમારે કહ્યું હતું કે, આ અભ્યાસનો તારણો સૂચવે છે કે,જે એસએમએમઈ માળખાગત રીતે મજબૂત છે એ વર્તમાન રોગચાળાની સ્થિતિમાં અસ્તિત્વ ટકાવવાની સારી સ્થિતિમાં છે અને વધુ સ્થિર કંપની તરીકે બહાર આવશે. આ એમએસએમઈ ધિરાણ સંસ્થાઓ પાસેથી નાણાકીય સહાય મેળવવા સૌથી વધુ પાત્રતા ધરાવે છે.અહીં બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે આ પ્રકારની કંપનીઓને ઓળખવાની અને ફંડ આપવાની તથા મજબૂત પોર્ટફોલિયો ઊભો કરવાની તક છે જ્યારે હાલના કટોકટીના અને અભૂતપૂર્વ સમયગાળામાં આ પ્રકારના હસ્તક્ષેપો અર્થતંત્રને પુનઃ વેગ આપવામાં મદદરૂપ થઈ શકે છે,ત્યારે પોર્ટફોલિયો જોખમ નિયંત્રણમાં રહે એવી સુનિશ્ચિતતા કરે છે.રાજેશે ઉમેર્યું હતું કે,ટ્રાન્સયુનિયન સિબિલ ધિરાણ ક્ષેત્ર,નિયમનકાર અને સરકારને મદદ કરવા પ્રતિબદ્ધ છે,જે એમએસએમઈ માટે ધિરાણ ઉપલબ્ધ કરાવવાના અભિયાનને આગળ વધારવા ઉચિત નીતિઓ બનાવવા ઉપયોગી જાણકારીઓ અને સોલ્યુશન પ્રદાન કરે છે,ત્યારે ધિરાણનો સ્થિર પોર્ટફોલિયો સુનિશ્ચિત કરે છે અને વૃદ્ધિના માર્ગે અગ્રેસર કરીને અર્થતંત્રને મજબૂત રાખે છે.