વલસાડ,08 જૂન : શહેરના મંદિરો અને જૈન દેરાસરોમાં રવિવારે સફાઇની કામગીરી કરવામાં આવી હતી.ઘણાં દિવસો સુધી મંદિરો બંધ રહ્યા બાદ હવે સોમવારથી મંદિરો ખુલશે.સરકારે આપેલી ગાઇડલાઇન મુજબ ભકતજનો ભગવાનના દર્શન કરી શકશે.જૈન દેરાસરો પણ સોમવારથી શરૂ થઇ જશે.
સોમવારે આ સ્થળોએ ભકતોનો ધસારો જોવા મળશે.અનલોક-1માં સરકારે ઘણી બધી છૂટો આપી છે. 8 જુનથી મોટા ભાગના ક્ષેત્રોમાં સરકારે છૂટ આપી દીધી છે.ખાસ કરીને મંદિરો અને જૈન દેરાસરો પણ સોમવારથી શરૂ થશે.રવિવારે વાપીના મંદિરો અને દેરાસરોમાં સાફ સફાઇની કામગીરી કરી હતી.બે માસ સુધી મંદિરો બંધ રહેતા ભગવાની મૂર્તિઓ તથા મંદિરની અંદર સફાઇની કામગીરી કર હતી.સોમવારથી મંદિરો રાબેતા મુજબ શરૂ થશે, પરંતુ સરકારે આપેલી ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરીને તથા અંતર રાખીને ભગવાનના દર્શન કરવાના રહેશે.વાપીના મોટા ભાગના મંદિરો અને દેરાસરો સોમવારથી ખુલશે. સોમવારે આ સ્થળોએ ભકતોનો ધસારો જોવા મળશે.
ધાર્મિક સ્થળો માટે ગાઇડલાઇન.મોટી ભીડ પ્રતિબંધિત રહેશે,એક બીજાથી નજીક આવવાનું ટાળો,મંદિરો કે અન્ય ધાર્મિક સ્થળોએ મૂર્તિઓ કે પ્રતિમાઓને સ્પર્શ કરી શકાશે નહિ, પ્રાર્થના માટે સામૂહિક શેતરંજીનો ઉપયોગ ટાળો,ભક્તો તેમની પોતાની શેતરંજી કે કપડાનો ટુકડો લઇ આવવું હિતાવહ રહેશે,સામુહિક લંગર,રસોડામાં,અન્નદાન કરી વેળા શારીરિક અંતર જાળવવું દરેક માટે સેનેટરાઇઝ,માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સિંગ,હેન્ડ ગ્લોવ્ઝ પહેેરવું,થર્મલ સ્ક્રીનિંગ,ઘાર્મિક સ્થળોમાં સાફસફાઇ,ડિસઇન્ફેકશનની કામગીરી મેઇન્ટેઇન કરવી.