[weather_data]
Breaking News
TRENDING NEWS

વાપી ચલા સ્થિત સત્તાધાર સોસાયટીને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુકિત આપવા માગ

[updated_date] [post_views]

Table of Content

વલસાડ, 09 જૂન : ચલા સત્તાધાર સોસાયટી અને ગોદાલ નગરમાં કોરોનાના કેસો આવતાં બંને વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.ગોદાલ નગરને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુકિત મળી ગઇ છે,પરંતુ સત્તાધાર સોસાયટીના રહીશોને મુકિત ન મળતાં કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.સ્થાનિકો નોકરી પર જઇ શકતાં નોકરી છૂટ્ટી જાય તેવી સ્થિતિ છે.વાપી ચલા સત્તાધાર સોસાયટીમાં રહેતા ભાજપના સભ્ય ગીરીરાજસિંહજી જાડેજાએ વલસાડ કલેકટરને લેખિત રજૂઆત કરી છે.જેમાં જણાવ્યુ હતુ કે ચલા સત્તાધાર સોસાયટીના રહીશોએ રજૂઆત કરી છે.જે મુજબ સત્તાધાર સોસાયટીમાં 19 મે પછી એક પણ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યો નથી.આ સોસાયટીમાં પ્લોટ નં.1થી 35 સ્થિત મકાનોને કલેકટર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સિલ કરવામાં આવ્યાં છે.જેથી સોસાયટીના રહીશોના રોજગાર, વેપાર તથા આર્થિક રીતે મોટુ નુકસાન થઇ રહ્યુ છે.પ્રજાના હિતમાં સત્તાધાર સોસાયટીને કન્ટેઇન્મેન્ટમાંથી મુકિતનો નિર્ણય લેવામાં આવે તેવી માગ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles