By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાપી ટાઉન પોલીસ સ્ટેશન સામે જ ચાલતો દેહ વ્યાપાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપી ટાઉન પોલીસ સ્ટેશન સામે જ ચાલતો દેહ વ્યાપાર
GeneralSouth Gujarat

વાપી ટાઉન પોલીસ સ્ટેશન સામે જ ચાલતો દેહ વ્યાપાર

HM News
Last updated: 19/06/2020 7:57 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 19 જૂન : વાપી ટાઉન પોલીસ સ્ટેશનની સામે આવેલ એક બિલ્ડીંગમાં બે મહિલા અને બે પુરૂષ દિવસ ચેનચાળા કરતા બિલ્ડિંગમાં રહેતી એક મહિલાએ તે અંગે પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોચતા પોલીસને ચારેય ઈસમો જાહેરમાં નિર્લજ્જપણે ચેનચાળા કરતા દેખાઈ આવ્યા હતા.

ગુજરાત પોલીસ એકટ કલમ 110 અને 117 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની સામે આવેલ શ્રી રામ એપાર્ટમેન્ટમાં બુધવારે સાંજે બે મહિલા અને બે પુરુષ જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતા દેખાઈ આવતા ફ્લેટ નંબર 303માં રહેતા શુભાંગી અજયભાઈ માને એ આ અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી.તાત્કાલિક મહિલા પીએસઆઈ સાથે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.જ્યાં ચારેય ઈસમો જાહેરમાં નિર્લજ્જપણે બિભત્સ ચેનચાળા કરતા મળી આવ્યા હતા. પોલીસે બંને સ્ત્રી નું નામ પુછતા એકનું નામ નિમિષાબેન સોમાભાઈ બાત્રે ઉમર ૩૨ રહે કાંકરીયા મોરા સોળસુંબા ઉમરગામ જ્યારે બીજી એ પોતાનું નામ સરલા રામ જયસ્વાલ ઉંમર વર્ષ 42 ધંધો બ્યુટી પાર્લર રહેવાનું શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 301 માં જણાવ્યું હતું.તો પકડાયેલો પુરુષ લલિતકુમાર રામકિશન કાપડિયા 41 ઉષા અપાર્ટમેન્ટ ઉમરગામ અને બીજાએ ચંપક લાલ સુથાર ઉમર વર્ષ 37 જીઆઇડીસી કોલોની ઉમરગામના હોવાનું જણાવ્યું હતું.પકડાયેલી મહિલા અને બંને પુરુષથી સરલાના ઘરે આવવાનું કારણ પૂછતાં તમામે અલગ-અલગ સ્ટેટમેન્ટ આપતા પોલીસે તમામની અટક કરી તેઓ વિરૂદ્ધ ગુજરાત પોલીસ એકટ કલમ 110 અને 117 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વાપી ટાઉન શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહેતી સરલા જયસ્વાલ જે ફ્લેટ નંબર 301 માં રહે છે અને બ્યુટી પાર્લર ચલાવી તેની આડમાં કુટણખાનું ચલાવતા હોવાની ચર્ચા ચાલી રહી હતી. આ કેસમાં પોલીસ યોગ્ય તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે તેવું છે.

અમરોલીમાં જુની બિમારીથી કંટાળીને પ્રૌઢ મહિલાનો આપઘાત
સેલવાસ : સિવિલ લેબરોની વતન જવા બબાલ : મામલતદારે સમજાવી પરત મોકલ્યા
જ્યારે-જ્યારે ભાજપનુ શાસન આવે છે, કાશ્મીરી પંડિતોનુ પલાયન થાય છે : CM કેજરીવાલ
મુંબઈ-અમદાવાદ કરતાં સુરત દાણચોરીમાં અવ્વલ : સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાતમાં ‘AAP’ નાં ગૃહ પ્રવેશથી 2022 માં કોનું ગણિત બગડશે?
Share This Article
Facebook Email Print
Previous Article સુરતની વર્ષો જૂની આંગણીયા પેઢીનું 400 કરોડમાં ઉઠામણું, હીરા ઉદ્યોગમાં ભૂકંપ
Next Article વલસાડ જિલ્લાની સ્કૂલમાં ઓગષ્ટ સુધીની ફી માફ કરો : વાલીઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up