વલસાડ, 08 જૂન : વાપી શહેરમાં ચોમાસા પહેલા કેટલાક જર્જરિત મકાનોના બાંધકામ દુર કરવામાં આવ્યા નથી.જેથી આ વર્ષે ચોમાસામાં મોટી દુર્ધટના ગમે ત્યારે બની શકે છે.પાલિકાના પદાધિકારીઓના મતે 48 જર્જરિત મકાનો મામલે પાલિકાએ નોટિશ પાઠવી છે.જેમાંથી કેટલાક મકાનો ખાલી કરાવામાં આવ્યાં છે.જો કે વર્ષોથી પાલિકા નોટિશ છે,પરંતુ જર્જરિત મકાનો દુર કરવામાં આવતાં નથી.ચોમાસા પહેલા શહેરના જર્જરિત મકાનોના બાંધકામને તોડી પાડવાની કે રિપેર કરવાની પાલિકા નોટિશ આપી છે.આ વર્ષે પાલિકાએ પાલિકા વિસ્તારમાં કુલ 48 જર્જરિત મકાનો મામલે સોસાયટી કે માલિકને નોટિશ ફટકારી છે.જેમાંથી ગણતરીના જર્જરિત મકાનો સ્થળ પરથી દુર કરવામાં આવ્યાં છે.અન્ય તમામ જર્જરિત મકાનો યથાવત છે.ગુંજન વોર્ડ નં.4 સાયકલ સ્ટોર્સની ગલી સહિતના સ્થળોએ જર્જરિત ઇમારતો જોવા મળી રહી છે.જવાબદારો આ નોટિશને ઘોળીને પી જાય છે.ચોમાસામાં મોટી ઘટના બનવાની પુરેપુરી સંભાવના રહે છે.હાલ પાલિકાની ટીમ જર્જરિત મકાનો ખાલી કરાવવા તથા રિપેર કરાવવા મથામણ કરી રહી છે.પરંતુ જયાં સુધી પાલિકા કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી આ નોટિસો માત્રને માત્ર કાગળ પર રહી જવાની છે.