બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં વાવ ગામની સીમમાં ને.હા-48 ઉપર રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહેલ યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા યુવાનને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.પ્રાપ્ત માહિતી મુજબ કામરેજ તાલુકાનાં વાવ ગામની સીમમાં કેડલવૂડની પાસે રહેતા અને મૂળ બિહારનો વતની અમૃતલાલ ક્રિષ્નભગવાન લાલદેવ (ઉ.વ.29) કે જે છૂટકમાં ફર્નિચરનું કામ કરી ગુજરાન ચલાવે છે.જે ગતરોજ રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ વાવ ગામની સીમમાં ઉદ્યોગનગર બ્રિજ નજીક હાઇવે પર રોડ ક્રોસ કરી રહયો હતો.તે સમયે પૂરઝડપે પસાર થતાં અજાણ્યા વાહન ચાલકે અમૃત લાલદેવને અડફેટમાં લઈ ભાગી છૂટ્યો હતો.સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે અમૃતનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.બનાવ અંગે મૃતક યુવાનના મોટાભાઈ ધનીકલાલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.