By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિદેશી કંપનીના એજન્ટ ઇસાઇ મિશનરીના લોકો આયુર્વેદનો વિરોધ કરી રહ્યા છે : સાધ્વી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિદેશી કંપનીના એજન્ટ ઇસાઇ મિશનરીના લોકો આયુર્વેદનો વિરોધ કરી રહ્યા છે : સાધ્વી
GeneralInternational

વિદેશી કંપનીના એજન્ટ ઇસાઇ મિશનરીના લોકો આયુર્વેદનો વિરોધ કરી રહ્યા છે : સાધ્વી

HM News
Last updated: 30/05/2021 6:00 AM
HM News
4 years ago
Share
SHARE

કાયમી વિવાદોમાં રહેતી સાધ્વી પ્રાચી હવે આયુર્વેદ અને એલોપેથી વચ્ચેની લડાઇમાં બાબા રામેદવના સમર્થનમાં મેદાનમાં ઉતરી છે.એક વીડિયોના માધ્યમથી સાધ્વીએ IMA અને મધર ટેરેસા પર શાબ્દિક હુમલો કર્યો છે.પ્રાચીએ કહ્યું કે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્રારા 1928માં એક એનજીઓ બનાવવામાં આવ્યું હતું.સાધ્વીએ મધર ટેરેસા માટે કહ્યું કે- તે એક જાદુગરણી હતી જે સ્પર્શ કરીને લોકોને સાજા કરતી હતી,તેની પોતાની મોત હોસ્પિટલમાં થઇ હતી.

સાધ્વી પાછી આટલેથી અટકી નહી- તેણે કહ્યું કે સ્વામી રામદેવે કરોડો લોકોને સાજા કર્યા છે અને IMA વાળા કાન ખોલીને સાંભળી લે.ચૂલ્લૂ ભર પાણીમાં ડુબી મરો,શરમ કરો.તેણીએ કહ્યુ કે આયુર્વેદ પર કાદવ ઉછાળનારા સાંભળી લે કે સ્વામી રામદેવ રાષ્ટ્ર માટે ઘણું મોટું કામ કરી રહ્યા છે.કરોડો લોકોને સાજા કરી રહ્યા છે.

બાબા રામદેવના સમર્થનના નામે સાધ્વીએ કહ્યું કે ધર્માતરણનો ખેલ હિંદુસ્તાનમાં ચાલી રહ્યો છે.સરકારોએ આની પર કડક કાર્યવાહી કરવી જોઇએ.શસ્ત્ર ક્રિયા એટલે કે સર્જરી આપણા આયુર્વેદમાં પહેલાંથી જ છે.આ એના જેવું છે માટલાનું પાણી અને ફ્રીજનું પાણી.માટલાનું પાણી પીવાથી કોઇ બિમાર પડતું નથી.વિદેશી કંપનીના એજન્ટ ઇસાઇ મિશનરીના લોકો આયુર્વેદનો વિરોધ કરી રહ્યા છે.

સાધ્વીએ કહ્યું કે બાબા રામદેવ સામે બકવાસ કરનારા સામે કાર્યવાહી થવી જોઇએ. સરકાર આયુર્વેદને પ્રોત્સાહન આપે ને એનજીઓને ખતમ કરે.

યોગ ગુરુ બાબા રામદેવનો એલોપેથીનિ વિરુધ્ધમાં વાત કરતો એક વીડિયો વાયરલ થયો હતો જેને કારણે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને સખત વાંધો ઉઠાવ્યો હતો અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને રજૂઆત પણ કરી હતી.આરોગ્ય મંત્રીએ રામદેવને પત્ર લખીને આવા વિવાદાસ્પદ નિવેદનો નહીં આપવાનું કહ્યું હતું અને પછી બાબા રામદેવે પણ આરોગ્ય મંત્રીને પત્ર લખીને ખેદ વ્યકત કર્યો હતો.ત્યારે એવું લાગતું હતું કે એલોપેથીની આ બબાલ પર હવે પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે.પણ એવું થયું નહી. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને બાબા રામદેવ વચ્ચેનો ગજગ્રાહ ચાલું જ રહ્યો છે અને બનેં એકબીજા સામે શિંગડા ભેરવી રહ્યા છે.બાબા રામદેવના સમર્થનમાં ભાજપના નેતાઓ બહાર આવી રહ્યા છે તો એસોસિયેશને પણ પીએમ મોદીને પત્ર લખીને રામદેવ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા કહ્યું છે.

સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 34 હજારને પાર, બપોર સુધીમાં કુલ 163 કેસ નોંધાયા
હું ઇસ્લામ કરતા હિંદુત્વનું અનેકગણું વધારે સન્માન કરું છું : બોલ્યા ડચ સાંસદ- ધર્મનિરપેક્ષતાના નામે હિંદુ દેવતાઓનું અપમાન યોગ્ય ઠેરવી શકાય નહીં
શિવસેનાના વધુ વિધાનસભ્યો ગુવાહાટીમાં શિંદે ગ્રુપ સાથે જોડાયા
ED પણ RTIના દાયરામાં આવે છે, માનવ અધિકાર હેઠળ માહિતી આપવી પડે
ખાંડ ઉત્પાદનનો અંદાજ 2% વધારીને 2.65 કરોડ ટન કરાયો
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાકાળમાં આ દેશના PM એ ગૂપચૂપ રીતે 23 વર્ષ નાની મંગેતર સાથે લગ્ન કરી લીધા
Next Article સુરતમાં ભાજપને લાગ્યો હારનો ડર ! AAP થકી થયેલા નુકસાનને પહોંચી વળવા ભાજપે અપનાવી નવી રણનીતિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up