By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિધવા પ્રથાના કુરિવાજો પર સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિધવા પ્રથાના કુરિવાજો પર સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ
GeneralMumbai

વિધવા પ્રથાના કુરિવાજો પર સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ

HM News
Last updated: 20/05/2022 7:39 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : કોલ્હાપુર જિલ્લાના હેરવાડ ગામની ગ્રામપંચાયતે વિધવા પ્રથા બંધ કરવાનો ઠરાવ મંજૂર કર્યા બાદ હવે હેરવાડ પેટર્ન અનુસાર સમગ્ર રાજ્યમાં આવા કુરિવાજો પર રાજ્ય સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો છે.સ્ત્રીના પતિના મૃત્યુ બાદ તે ચાંદલો નથી કરી શકતી,તેની બંગડીઓ કે ચૂડલા ભાંગવામાં આવે છે અને કોઇ શુભપ્રસંગે વિધવાની હાજરીને અપશુકન ગણી તેને બને ત્યાં સુધી દૂર રાખવામાં આવે છે. સદીઓથી ચાલી આવતી આ કુપ્રથાનો ખોળા જેવડા હેરવાડ ગામડાએ ખાતમો બોલીવી અનોખો દાખલો બેસાડયો છે.એટલે હેરવાડનું ઉદાહરણ નજર સામે રાખી તેનું અનુકરણ કરવા માટેનું આહવાન દરેક ગ્રામપંચાયતોને સરકાર તરફથી કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારે આ અંગે એક ઔપચારિક આદેશ પણ પ્રગટ કરી દીધો છે.
સરકાર તરફથી પ્રગટ કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આ કુરિવાજોના અમલના કારણે માનવ અધિકારોનો ભંગ થાય છે અને મહિલાઓનાં ગૌરવનું હનન થાય છે.આધુનિક સમયમાં આવા કુરિવાજોને કોઈ સ્થાન નથી.મહારાષ્ટ્રના મહિલા અને બાલકલ્યાણ પ્રધાન યશોમતી ઠાકૂરે જણાવ્યું હતું કે હેરવાડ પેટર્નની રાજ્યમાં અમલબજાવણી થાય એ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે એ જોઇ ખરેખર ગર્વની લાગણી થાય છે.વિધવાપ્રથાના અનિષ્ટને નાબૂદ કરવા માટે રાજ્યની દરેક ગ્રામપંચાયતમાં ઠરાવ માંડવામાં આવે એવું આહવાન કરવામાં આવ્યું છે.આ માટે દરેક ગ્રામપંયાચતને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવશે.શિવસેનાના નેતા અને વિધાન-પરિષદના ઉપસભાપતિ નિલમ ગોર્ડુએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી રાજ્ય સરકારે અત્યાર સુધી ઉપેક્ષિત રહેલી વિધવાઓને આ કુપ્રથાથી મુક્ત કરવાનો સંદેશ આપ્યો છે.
આ અગાઉ,હેરવાડ ગામના સરપંચ સુરગોંડા પાટીલે જણાવ્યું હતું કે વિધવાપ્રથા નાબૂદીનો ઠરાવ કર્યા પછી તેની અમલબજાવણીનો મોટો પડકાર અમારી સામે હતો.હવે ચર્મકાર સમાજ અને ગાયકવાડ કુટુંબીઓએ આ ઐતિહાસિક નિર્ણયની અમલબજાવણીની પહેલ કરીને ઐતિહાસિક ઠરાવને બળ પૂરું પાડયું છે.

ગુજરાતના મહિલા એકટીવિસ્ટે વિવાદાસ્પદ ચુકાદો આપવાના મામલે જ્જને કોન્ડમ પેક મોકલ્યું
મંત્રી-ધારાસભ્યોને રવિવારે રાત્રે ગાંધીનગર પહોંચવા આદેશ, વોલ્વો બસની સુવિધા અપાશે
સુરતનો રત્નકલાકાર મકાઈની આડમાં ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરતાં ઝડપાયો
હું બીફ ખાઉં છું, તમે મને પૂછવાવાળા કોણ?’ : કર્ણાટકના પૂર્વ CM સિદ્ધારમૈયા
એલપીજી સિલિન્ડર આજે વધુ મોંઘો થવાની આશંકા
Share This Article
Facebook Email Print
Previous Article બાઇક પર બે જણા પીછો કરે છે કહી રીક્ષા ચાલક વૃધ્ધાના 1.12 લાખના દાગીના ઉતરાવી રફુચક્કર
Next Article આશરે 10 હજાર વિદ્યાર્થીઓએ ‘નીટ’ પરીક્ષા પાછળ ધકેલવાની માગ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up