– નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીના હુકમ કરવામાં આવ્યા
સુરેન્દ્રનગર : જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.જિલ્લાના 27 નાયબ મામલતદારોની અરસપરસ બદલી કરવામાં આવી છે. 11 કારકુનને ચૂંટણી શાખામાં મુકવામાં આવ્યા છે.જિલ્લામાં ફરજ બજાવતા 35 ક્લાર્કની પણ અલગ અલગ વિભાગમાં બદલી કરવામાં આવી છે. 18 નાયબ મામલતદારોને પણ બદલી કરી અલગ અલગ તાલુકા મથકના ચૂંટણી વિભાગમાં કરવામાં આવી છે.જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા બદલીના આેર્ડરને લઇને કર્મચારીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.વિધાનસભા ચૂંટણી પહેલા કુલ 81 કર્મચારીઓની બદલીના હુકમો કરાયા છે.