– બોટાદના ઝાંઝરકા સવૈયાનાથની સમાધિ જગ્યાએ પુજન કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ
– મતદાતાઓના ધન્યવાદ કરવાની આ યાત્રા છે : અમિત શાહ
રાજ્યમાં ચૂંટણીને લઇને સત્તા પક્ષ ભાજપ કામે લાગ્યુ છે. ગઇ કાલથી રાજ્યમાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થઇ ચૂક્યો છે જે અંતર્ગત આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોટાદના ઝાંઝરકા સવૈયાનાથની સમાધિ જગ્યાએ પુજન કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.આ યાત્રા તા.20 ઓકટોબર સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરી યાત્રા સમાપ્ત થશે.અંદાજે 1070 કી.મી. ની યાત્રા બોટાદ,ભાવનગર,અમરેલી,જુનાગઢ,ગીર સોમનાથ વિધાનસભા વિસ્તારોના ગામો અને વોર્ડમાં પરિભ્રમણ કરશે. યાત્રા દરમ્યાન 75 થી વધુ સ્થળ પર સ્વાગત થશે અને 21 જગ્યા પર જાહેર સભા થશે.
ઝાંઝરકાથી યાત્રાનો પ્રારંભ કરાવતી વખતે ગૃહમંત્રી અમિત શાહે જનસભાને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે ગઇ કાલથી શરૂ થયેલા ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા ઘરે-ઘરે જઇને ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ આપવાનું કામ કરશે.આ યાત્રા 1990 પછી ક્યારેય કોઇ પણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ક્યારેક ભાજપને હાર નથી આપી.હંમેશા ભાજપ પર લોકોએ ભરોસો કર્યો છે.એ મતદાતાઓના ધન્યવાદ કરવાની આ યાત્રા છે. ભરોસાની સરકાર ફરી એક વખત બનવાની છે.ગુજરાતની જનતાને યાદ કરાવવા માંગુ છુ કે એવુ નથી કે ભાજપે જ રાજ કર્યુ હોય.કોંગ્રેસે પણ રાજ કર્યુ છે.મોદી સાહેબ આવ્યા તે પહેલા 24 કલાક વિજળી મળતી હતી ? મોદી સાહેબ આવ્યા એ પહેલા અમદાવાદની તરસી ધરતીને મા નર્મદાનું પાણી મળ્યુ હતુ ? આ કોંગ્રેસે ન વિજળી આપી, ન પાણી આપ્યુ કે ન ઉદ્યોગો આપ્યા. માત્ર રમખાણો આપ્યા.કોંગ્રેસના શાસનમાં 300 દિવસમાંથી 200 દિવસ કર્ફ્યુ રહેતા હતા તે પ્રકારની વ્યવસ્થા કોંગ્રેસ જાતે જ કરતી હતી.કારણ કે તેઓ માનતા હતા કે જ્યાં સુધી જનતાની અંદર-અંદર મતભેદ ચાલુ રે ત્યાં સુધી અમને કોઇ તકલીફ નથી.ભાજપની સરકાર આવી અને આજે 20 વર્ષથી ગુજરાતમાં કર્ફયુનું નામો નિશાન નથી.જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી ગુજરાતમાં શાંતિ,સુરક્ષા,વિકાસ અને સમૃદ્ધિનો નારો લાગ્યો છે.અનેક પ્રકારના વિકાસના કામો ભાજપે કર્યા છે એટલા માટે દરેક ચૂંટણી કોર્પોરેશન,જિલ્લા,વિધાનસભા કે પછી લોકસભાની હોય દરેકે-દરેક ચૂંટણીની અંદર ગુજરાતની જનતાએ ભાજપને વિજયની હારમાળા પહેરાવી છે.
વધુમાં જણાવ્યુ હતુ કે 2022માં ભારે બહુમતીથી ભાજપની સરકાર બનશે.બે તૃતિયાશની બહુમતીથી ભાજપની સરકાર બનશે.કારણ કે ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે.કોંગ્રેસ દેશની અર્થવ્યવસ્થાને 11માં નંબર પર મૂકીને ગયા હતા.આ 11 નંબર પરથી 5માં નંબર પર મૂકવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યુ છે.તમે કોઇએ વિચાર્યુ હતુ કે જ્યાં વિવાદ હતો ત્યાં રામમંદિર બનશે? કોંગ્રસને કહેવા માંગુ છુ કે તિથી આવી ગઇ અને ગગનચુંબી રામ મંદિર બનવાનું કામ શરૂ પણ થઇ ગયુ.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની માર્ગદર્શનમાં યોજનાર આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી રાજયના મંત્રીઓ,પ્રદેશના પદાધિકારીઓ જોડાઇને ગૌરવ પૂર્ણ વિકાસના કામોની માહીતી લઇ અલગ અલગ જીલ્લાઓ શહેરમાં પ્રવાસ થકી જનતાના આશીર્વાદ લેશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે.


