વિવાદોમાં ઘેરાયેલા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ખોડલધામ ખાતે મા ખોડિયારના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતુ.દિલ્હીથી રાજકોટ એરપોર્ટ પર ખાતે ઉતરાણ બાદ ગોપાલ ઇટાલિયા કાગવડ પહોંચ્યા હતા.ગોપાલ ઇટાલિયા સાથે સંગઠન મંત્રી અજિત લોખીલ સાથે અનેક કાર્યકતાઓ પણ હાજર રહ્યાં હતા.થોડા દિવસો પૂર્વે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દર્શન કરવા આવતા નરેશ પટેલ રહ્યા હતા હાજર
– ખોડલધામ મંદિરના એક પણ ટ્રસ્ટીઓ સ્વાગત કરવા માટે ના રહ્યા હાજર.
– આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું નિવેદન
– માતાજીના આશીર્વાદ મળ્યા, પણ રાજકારણ માટે ટ્રસ્ટીઓના આશીર્વાદની જરૂર નથી
– ખોડલધામ ખાતે ગોપાલ ઇટાલિયા એ દર્શન કર્યા
– દર્શન કર્યા બાદ આપ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ખોડલધામના ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરાને મળ્યા
– ગોપાલ ઇટાલીયા તેમજ ગોપાલભાઈની બંધ બારણે બેઠક કરી.
બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટના એક પણ ટ્રસ્ટી સ્વાગત માટે હાજર ન રહેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.ગોપાલ ઇટાલિયાનું ખોડલધામ ખાતે માત્ર મંદિર સ્ટાફ દ્વારા જ સ્વાગત કરવામાં આવ્યું હતુ.