By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિવિધ બેન્કોએ ૮૯,૦૦૦ કરોડનાં ૨૨ ખાતાં પ્રસ્તાવિત બેડ બેન્કને ટ્રાન્સફર કર્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિવિધ બેન્કોએ ૮૯,૦૦૦ કરોડનાં ૨૨ ખાતાં પ્રસ્તાવિત બેડ બેન્કને ટ્રાન્સફર કર્યાં
GeneralNational

વિવિધ બેન્કોએ ૮૯,૦૦૦ કરોડનાં ૨૨ ખાતાં પ્રસ્તાવિત બેડ બેન્કને ટ્રાન્સફર કર્યાં

HM News
Last updated: 09/06/2021 2:07 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : ઔદ્યોગિક લોબીએ રચેલા ઈન્ડિયન બેન્ક્સ એસોસિયેશન(IBA)ના ચેરમેન રાજકિરણ રાયના જણાવ્યા અનુસાર ભારતની વિવિધ બેન્કોએ એવાં ૨૨ ખાતાં જુદા તારવ્યા છે જે ચુકવણી કરતા જ નથી.એમની બાકી રકમનો સરવાળો ૮૯,૦૦૦ કરોડ રૂપિયા થાય છે.આ ખાતાંઓ પ્રસ્તાવિત બેડ બેન્ક (NARCL)ને ટ્રાન્સફર કરવામાં આવશે. સાથે જ રાયે ખુલાસો કર્યો હતો કે આ તો બેન્કો તરફથી તારવવામાં આવેલા પ્રાથમિક આંકડો છે.એમાંથી કેટલા ખાતાં સ્વીકારવા એ બેડ બેન્ક (નેશનલ એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની) નક્કી કરશે.રાજકિરણ રાય રાષ્ટ્રીયકૃત યુનિયન બેન્કના વડા પણ છે.

નેશનલ એસેટ રિક્ન્સ્ટ્રક્શન કંપની (NARCL)ની સ્થા૫નાની જાહેરાત ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી.દેશની બેન્કોના તમામ પ્રયાસ છતાં જે ખાતાંઓ લોનની ચુકવણી ન કરતા હોય અને બેન્ક હારી ગઈ હોય એવાં ખાતાઓ (બેડ એસેટ્સ) ભેગા કરી એ રકમના ચુકવણાની જોગવાઈ કરશે.આ કંપની મોટાભાગે રાષ્ટ્રીયકૃત બેન્કોના ભંડોળના આધારે કામ કરશે.તેનો આરંભ જુલાઈ ૨૦૨૧માં થવા જઈ રહ્યો છે.આ અંગે રાજકિરણ રાય એક પ્રેસકોન્ફરન્સમાં માહિતી આપી રહ્યા હતા.ભરપાઈ ન થનારી લોનના ખાતાં NARCLમાં કઈ શરતે ટ્રાન્સફર કરવામાં આવશે એવા પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતાં રાયે જણાવ્યું હતું કે બેન્કોએ પોતપોતાના ખાતાંઓ સોંપવાનો પ્રસ્તાવ મૂકી દીધો છે.હવે NARCL કયાં કયાં ખાતાં સ્વીકારશે એ તો તેની મરજી અને ક્ષમતા ઉપર આધાર રાખે છે.

રાયના જણાવ્યા પ્રમાણે જ્યારે બેડ બેન્ક ચાલુ થાય તો તરત કામગીરી હાથ ઉપર લઈ શકે એ માટેનું ગ્રાઉન્ડ તૈયાર રાખવા માટે આ ખાતાંઓ તારવી આપવામાં આવ્યા છે.

બિપરજોય વાવાઝોડાએ અંબાણી અને અદાણીને પણ પ્રભાવિત કર્યા, પોર્ટ બંધ થવાથી કરોડોના નુકસાનનો સામનો કરશે
ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા કૃષિ બિલનો વિરોધ, બિલની હોળી કરવામાં આવી
કોરોના સંક્રમિતોના કેસમાં CDHO ડો.અનિલ પટેલના હકીકતલતક્ષી અહેવાલ અને વિસંગતભર્યા આંકડાઓને કારણે અમદાવાદ બદલી કરાઈ
ભાજપ ક્યારે પોતાના નેતાઓ પર લગામ મૂકશે ? સુરતમાં કાર્યકર્તાએ દીકરીના લગ્નમાં ભેગી કરી ભીડ :- ડીજે નાઈટમાં લોકો હતા મસ્ત!
BJP નેતાને કારની ડેકીમાં બંધ કરી સળગાવી નાખ્યા, પોલીસે શરૂ કરી તપાસ
Share This Article
Facebook Email Print
Previous Article બિલ ગેટ્સ મહિલાઓને મળવા માટે ગોલ્ડન બ્રાઉન પોર્શ કારમાં બેસીને ગાયબ થઈ જતાં
Next Article કમળને કચડતું ઝાડુ : ”પાટીલગઢ’ માં આપના ગાબડાં : સુરત ભાજપના 300 સક્રિય કાર્યકરો આપમાં જોડાયાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up