By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વના 79 કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી : યુએન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિશ્વના 79 કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી : યુએન
GeneralNational

વિશ્વના 79 કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી : યુએન

HM News
Last updated: 23/03/2022 5:36 AM
HM News
3 years ago
Share
SHARE

– દર વર્ષે ગંદા પાણીને કારણે વિશ્વના લાખો લોકો ટાઇફોઇડની ચપેટમાં આવે છે
– ભારત,ચીન,અમેરિકા,પાકિસ્તાન,ઇરાન,બાંગ્લાદેશ,મેક્સિકો,સાઉદી,ઇન્ડોનેશિયા અને ઇટાલી વિશ્વના 72 ટકા પાણીનો ઉપયોગ કરે છે
– વર્ષ 2050 સુધી વિશ્વની વસ્તી 9 થી 10 અબજ હશે ત્યારે લોકોને પાણી ઉપલબ્ધ કરાવવું એક મોટો પડકાર બની રહેશે

નવી દિલ્હી : આપણે સૌ જાણીએ છીએ કે ધરતી પર ૭૫ ટકા પાણી છે.આમ છતાં વિશ્વના અનેક દેશો પાણીની અછતનો સામનો કરી રહ્યાં છે.વિશ્વના અનેક દેશો અને શહેરો એવા છે જ્યાં લોકોને પીવાના પાણી અને પોતાની અન્ય જરૂરિયાત માટેના પાણી માટે અનેક માઇલ દૂર સુધી જવું પડે છે.આટલું લાંબુ અંતર કાપ્યા પછી પણ તેમને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી.આ આપણા વિશ્વની વિટંબણા છે.

સંયુક્ત રાષ્ટ્રની તરફથી આ સમસ્યા પ્રત્યે લોકોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે.સંયુક્ત રાષ્ટ્ર પણ પાણીની સમસ્યા દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે આમ છતાં આ સમસ્યા સતત વિકારળ બની રહી છે.

યુએનના એક અહેવાલ મુજબ વિશ્વના ૭૯ કરોડ લોકોને જરૂરિયાત મુજબનું પાણી મળતું નથી.દર વર્ષે ગંદા પાણીને કારણે વિશ્વમાં લાખો લોકો ટાઇફોઇડની ચપેટમાં આવે છે.

યુએનના ૨૦૦૬ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે લોકોની જરૂરિયાત પૂર્ણ કરવા જેટલું પાણી ઉપલબ્ધ છે પણ ભ્રષ્ટાચાર અને ખામીઓને કારણે તે લોકો સુધી ઉપલબ્ધ બની શકતું નથી.આ રિપોર્ટમાં બ્યુરોક્રેસીની નિયત પર પ્રશ્રો ઉઠાવવામાં આવ્યા હતાં.

સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ વર્ષ ૨૦૫૦ સુધી વિશ્વની વસ્તી ૯ થી ૧૦ અબજની વચ્ચે હશે. આ સ્થિતિમાં લોકોને પીવાનું અને અન્ય જરૂરિયાત માટે પાણી ઉપલબ્ધ કરાવવું એક મોટો પડકાર બની રહેશે. પાણીની સમસ્યાનું એક મોટું કારણ ક્લાયમેટ ચેન્જ પણ છે.આ માટે વિશ્વને સતત ચેતવણી આપવામાં આવી રહી છે.ભારત સહિતના અનેક દેશોએ કલાયમેન્ટ ચેન્જ અંગે વિવિધ પગલાં પણ લીધા છે.

યુએનના જણાવ્યા અનુસાર પાણીની વપરાશનો ૬૭ ટકા હિસ્સો સિંચાઇ,૨૨ ટકા હિસ્સો ઘરેલુ કામ અને ૧૧ ટકા હિસ્સો ઉદ્યોગોમાં વપરાય છે.ભારત સહિત વિશ્વના દસ દેશેો વિશ્વના ૭૨ ટકા પાણીનો ઉપયોગ કરે છે.આ દસ દેશોમાં ભારત,ચીન,અમેરિકા,પાકિસ્તાન,ઇરાન,બાંગ્લાદેશ,મેક્સિકો,સઉદી અરબ,ઇન્ડોનેશિયા અને ઇટાલીનો સમાવેશ થાય છે.

રાજકોટ-સુરતમાં માલધારીઓનો અનોખો વિરોધ, હજારો લીટર દૂધ તાપીમાં પધરાવી દીધું
રાજયમાં કોરોનાને કારણે લોકડાઉનઃ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલશો તો થશે જેલ
મસ્જિદ તોડવાનુ કાવતરું નહોતું તો શું જાદૂથી પાડી દેવામાં આવી, ઔવેસીને લાગ્યા મરચાં ,કાઢી ભડાશ
દાનહમાં વધુ સાત પોઝિટિવ કેસ સાથે કોરોનાની બેવડી સદી પૂરી
હાર્દિક પટેલ ફેકટ૨ જ નથી : સંદેશ આપવા ભાજપનો પ્રયાસ
Share This Article
Facebook Email Print
Previous Article રશિયા યુક્રેન પર કેમિકલ હુમલો કરે તેવી આશંકા : અમેરિકાની ચેતવણી
Next Article શ્રીનગરમાં હુમલો, કોન્સ્ટેબલ શહીદ અનેક આતંકીઓ ઘુસવાની ફિરાકમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up