By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શકિતપીઠ અંબાજીના ચોકમાં પ્રથમવાર માઇ ભકતો ગરબે નહિ ધૂમી શકે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શકિતપીઠ અંબાજીના ચોકમાં પ્રથમવાર માઇ ભકતો ગરબે નહિ ધૂમી શકે
AhmedabadGeneral

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શકિતપીઠ અંબાજીના ચોકમાં પ્રથમવાર માઇ ભકતો ગરબે નહિ ધૂમી શકે

HM News
Last updated: 17/10/2020 6:33 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ, તા. 17 : કોરોનાની મહામારીએ સમાજજીવનમાં ઘણા બદલાવ લાવી દીધા છે અને એને પગલે ધાર્મિક તહેવારો પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે ત્યારે વિશ્વને શકિતપીઠ અંબાજીમાં આવેલા ચાચર ચોકમાં આ નવરાત્રીમાં પહેલીવાર એવું બનશે કે માઇભકતો જગદજનની અંબે માતાજીના ગરબે ઘૂમી નહીં શકે. જોકે માઇભકતો માટે થોડી રાહત એ વાતની છે કે ગાઇડલાઇન મુજબ નવરાત્રી દરમ્યાન મંદિરમાં દર્શન કરી શકાશે.જોકે બીજી તરફ પહેલી વાર અંબાજી માતાજીના મંદિરને આધુનિક લાઇટોથી શણગાર સજાવ્યા છે જેને પગલે માતાજીનું મંદિર રળિયામણું લાગી રહ્યું છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના મીડીયા કો-ઓર્ડિનેટર આશિષ રાવલે કહ્યું હતું કે અંબાજી મંદિરમાં આ વર્ષે નવરાત્રીના ગરબા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે અંબાજી માતાના ચાચર ચોકમાં ગરબા નહીં યોજાય જોકે નવરાત્રી દરમ્યાન ભાવિકો પોતાના ઘરેથી જ આરતી અને દર્શન કરી શકે એ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓનલાઇન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ નવરાત્રીથી રપ ઓકટોબર દરમ્યાન ટ્રસ્ટની વેબસાઇટ,ફેસબુક,યુટયુબ,ટવીટર તથા લાઇવ સ્ટ્રીમીંગ સર્વર પરથી સવારે 7.30 થી 8 અને સાંજે 6.30 થી 7 વાગ્યા દરમ્યાન આરતી લાઇવ કરવામાં આવશે. ગાઇડલાઇન મુજબ દર્શનાર્થીઓ મંધ્રિમાં આવીને દર્શન કરી શકશે પરંતુ આરતી સમયે મંદિરમાં કોઇને એન્ટ્રી અપાશે નહી.
આજે સવારે અંબાજી મંદિરમાં સવારે નવરાત્રી ઘટસ્થાપન કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠાના જિલ્લા કલેકટર આનંદ પટેલ તેમ જ મંદિર ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાના માર્ગદર્શનમાં અને ગાયત્રી શકિતતીર્થ,અંબાજીના સહયોગથી નવરાત્રીના 9 દિવસ દરમ્યાન વ્યસન મુકિત સંકલ્પ અભિયાન યોજાશે

મોદી ફસાયા : આનંદીબેનને દીકરી અનાર માટે જોઈએ છે સીટ પણ અમિત શાહનો નનૈયો, શાહને અલ્પેશ ઠાકોરને કરવો છે રાજીનો રેડ
ભાજપમાં પરિવર્તન, બુઢ્ઢાઓનો બાય-બાય, સંગઠનમાં હવે કઇ ઉંમર જોઇશે? જાણો.
મહિલા કર્મચારીએ કંપનીના ૮૨ કરોડ રૂપિયા કસીનોમાં ઉડાડી દીધા
2030 સુધીમાં અમદાવાદના 70% વિસ્તારનુ સરેરાશ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે
મણિનગરમાં ભર બપોરે મકાનના તાળા તૂટયા, રૃા.4.54 લાખની મત્તા ચોરાઇ
Share This Article
Facebook Email Print
Previous Article મધ્યપ્રદેશમાં બળાત્કારીને ચાકુના 25 ઘા મારી પતાવી દીધો, પીડિતાએ પોલીસને ફોન કરીને કહી આ વાત
Next Article એમેઝોન અને ફ્લિપકાર્ટ પર નિયમો તોડવાનો આરોપ, સરકારે નોટિસ ફટકારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up