By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વીર સાવરકર અંગે ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતાને આપી ચેતવણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વીર સાવરકર અંગે ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતાને આપી ચેતવણી
GeneralMumbai

વીર સાવરકર અંગે ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતાને આપી ચેતવણી

HM News
Last updated: 27/03/2023 9:36 AM
HM News
2 years ago
Share
SHARE

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં પોતાની લોકસભા સભ્યતા રદ્દ થવાના કારણે ચર્ચામાં છે.ત્યારે તેમના સમર્થનમાં ઘણાં અન્ય વિરોધી પક્ષ જોડાઈ રહ્યા છે.આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગે કરેલી ટિપ્પણીથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગુસ્સે થયા છે અને સીધા શબ્દોમાં ચેતવણી આપી છે.તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હું રાહુલ ગાંધીને જણાવી દેવા માગુ છું કે અમે તમારી ભારત જોડો યાત્રામાં એટલા માટે સાથે ચાલ્યા કેમ કે તે લોકતંત્ર બચાવવા માટે જરૂરી હતું પણ સાવરકર અમારા ભગવાન જેવા છે અને અમે તેમનું અપમાન સાંખી નહીં લઈએ.આપણે લોકતંત્ર બચાવવા માટે સાથે છીએ પણ એવા નિવેદન ન આપશો કે એવા પગલાં ન ભરશો જે આપણી વચ્ચે મતભેદ ઊભા કરી દે.

એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ તમને ભડકાવવા પ્રયાસ કરી રહ્યો છે.જો આજે આપણે ચૂકી જઈશું તો આપણો દેશ નક્કી જ એકતંત્ર તરફ આગળ વધી જશે.તેમણે સ્વતંત્રતા આંદોલનમાં સાવરકરના યોગદાનને યાદ કરતાં કહ્યું કે જે તેમણે સહન કર્યું છે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી.જો કે સાથે જ કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કરતાં ઠાકરેએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીની ટીકા કરવાનો મતલબ એ નથી કે અમે ભારતની ટીકા કરી રહ્યા છીએ.તેમાં દેશનું અપમાન જ થઈ રહ્યું નથી.જો તમે મોદીની ટીકા કરી રહ્યા છો તો તેમાં દેશનું અપમાન કેવી રીતે ગણાય? આ કોઈ મોદી ભારત નથી.

ઉદ્ધવ ઠાકરે

બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે ભ્રષ્ટ નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાનો આરોપ મૂક્યો.તેમણે કહ્યું કે ભાજપે ભ્રષ્ટાચારના આરોપો મૂકી વિપક્ષના તમામ નેતાઓને પોતાની સાથે જોડી લીધા છે.તમે બ્લેકમેઈલિંગ કરી રહ્યા છો.સત્તાની લાલચમાં આ કાર્ય યોગ્ય નથી.તમે તમારી પાર્ટીનું નામ જ બદલીને ભ્રષ્ટ લોકોની પાર્ટી કેમ નથી કરી લેતા.તમારી પાર્ટીનું નામ તો ભ્રષ્ટ જનતા પાર્ટી હોવું જોઇએ.

હિજાબ વિરૂદ્ધ પોસ્ટ લખનારા બજરંગ દળના કાર્યકરની શિવમોગા ખાતે હત્યા, કલમ 144 લાગુ
અયોધ્યાની તર્જ પર મથુરા કોર્ટમાં 13.37 એકર કૃષ્ણ જન્મભૂમિનો કબ્જો મગાયો
મધ્ય પ્રદેશમાં બહુમત પરીક્ષણ ક્યારે? સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ
નવ રાજયો – કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિંદુઓ છે લઘુમતિ : અધિકારો કેમ નથી મળતા? હાઇકોર્ટે જવાબ માંગ્યો
આ વર્ષે નવરાત્રીમાં ગરબા કરવાની પરમિશન નઇ મળે: સરકાર
Share This Article
Facebook Email Print
Previous Article DGFT અધિકારીના આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ,પોટલામાંથી મળ્યા 50 લાખ : VIDEO
Next Article આકાંક્ષા દુબે મોત મામલે ભોજપુરી સિંગર સમર સિંહ સહિત બે પર કેસ દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up