અમદાવાદ,તા. 2 મે 2022,સોમવાર : વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ચાણક્યપુરીમાં રહેતાં જમીન દલાલે ફીનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.સ્યુસાઇડ નોટમાં વ્યાજખોરોને પૈસા ચૂકવી દીધા છતાં વધુ રકમની માંગ કરી જાનથી મારવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ હતો.બનાવને પગલે સોલા પોલીસે ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા ભાથીભાઈ દેસાઈએ લખેલી સ્યુસાઇડ નોટમાં ગોવિંદભાઇ ગાંડાભાઈ દેસાઈ રહે, મહાશક્તી નગર,જનતાનગર પાસેથી રૂ.બે લાખ 10 ટકા વ્યાજે લીધા હતા.આ રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી હોવા છતાં વધુ રૂ.8 લાખની ગોવિંદભાઇ માંગણી કરતા હતા.આ ગોવિંદભાઇ ભાઈઓ રાજુભાઇ અને કાળાભાઈ બંને રહે, દેવસીટી બંગલો, ચાણક્યપુરીનાઓ ફોન પર રૂપિયાની ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકીઓ આપતા હતા.
ભાથીભાઈએ રૂ 15 લાખ ટુકડે ટુકડે આનંદ બળદેવભાઈ દેસાઈ રહે, દેવસીટી બંગલો, ચાણક્યપુરી પાસેથી લીધા હતા. જે પેટે રૂ.70 થી 80 લાખ ચૂકવ્યા હતા.તેમ છતાં આનંદભાઈ વ્યાજની ઉઘરાણી કરી અપશબ્દો બોલી ભાથીભાઈની બહેનનું મકાન પડાવી લેવાની ધમકી આપતા હતા.આ ધમકીઓથી તંગ આવી ભાથીભાઈએ સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.બનાવ અંગે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા જમીનદલાલ ભાથી દેસાઈના ભત્રીજા વિશાલની ફરિયાદ આધારે ગુનો દાખલ કર્યો છે.