વ્યારા : તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે ગત 14મીમેના રોજ બિલ્ડર નિશિષ શાહની હત્યા તેના સાળાએ જ સોપારી આપીને કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.જેને લઈને વ્યારામાં ચકચાર મચી ગઈ હતી
14મેની મોડી સાંજે આશરે 8:15થી 8:30ના સમય દરમિયાન કારમાં આવેલા ચાર અજાણ્યા હત્યારાઓએ નિશિષ શાહની મોપેડને ટક્કર મારી પાડી દીધા હતા.ત્યારે ત્યાં દોડી ગયેલા તરબૂચના વેપારી ગણેશ લિહારકાર અને તેના સાળા દિગંબર સુપલકરને ચપ્પુ અને તલવારથી જીવલેણ ઘા માર્યા હતા.ત્યારબાદ આ લોકો બિલ્ડર નિશિષ શાહ પાછળ દોડ્યા હતા.આરોપીઓએ શનિદેવના મંદિર નજીક રસ્તા પર નિશિષ શાહને તલવારના ઘા મારીને પાડી દીધો હતો અને આરોપીઓએ તલવાર અને ચપુના ધા મારી નિશિષ શાહનું ઘટના સ્થળે જ કાસળ કાઢી નાખ્યું હતું.નિશિષ શાહની હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી કારમાં નાસી છૂટ્યા હતા.
સમગ્ર ઘટના કેટલાક સ્થાનિકોએ પણ જોઈ હતી અને CCTV કેમરામાં પણ કેદ થઈ હતી.જોકે ત્યારબાદ કાર નંબર GJ 05 JP 2445 બારડોલીના મઢી-સૂરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી.
બારડોલીના મઢી-સૂરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી.આ મામલામાં પોલીસે અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.પરંતુ સોપારી આપનાર મુખ્ય આરોપી પોલીસ પકડની બહાર હતો.પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં નિશિષની હત્યા તેના જ સાળા વિજય પટેલે કરાવી હોવાનું ખૂલ્યું હતું.પોલીસે વિજય પટેલને પકડવા માટે કોર્ટમાંથી વોરંટ મેળવ્યા હોવાનું જાણવા મળે છે.