અમદાવાદ તા. ૧૪ : જયારે જયારે ગુજરાતમાં રાજયસભાની ચુંટણી (Rajyasabha election) આવે છે ત્યારે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી આવી છે.ત્યારે જોવું એ રહ્યુ્ કે, ફરી વાર આવી સ્થિતિ સર્જાઇ ત્યારે કોંગ્રેસ દ્વારા ફરીવાર રીસોર્ટ પોલીટીકસ અપનાવાશે કે નહિ.ગુજરાત કોંગ્રેસે રાજયસભાની બે બેઠકો જીતવા કવાયત કરી શરૂ કરી દીધી છે.કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યો તુટે તે પહેલાં પાળ બાંધવાનો નેતાઓનો પ્રયાસ શરૂ થઈ ગયો છે.ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે.ભાજપાએ ત્રીજો ઉમેદવાર ઉભો રાખતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર છે,તેથી હાલ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.ધારાસભ્ય તોડોના સમાચાર વચ્ચે ગુજરાતના દિગ્ગજનેતા શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યુ છે.એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, એનસીપીનો મત કોંગ્રેસ ઉમેદવારને મળશે.અમારું સ્ટેન્ટ ભાજપ સામેનું જ રહેશે.કોંગ્રેસ નક્કિ કરશે તે ઉમેદવારને એનસીપી મત આપશે. એનસીપીના ધારાસભ્યને વ્હીપ આપવામાં આવશે.ગઈકાલે કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી.રાજયસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ હતી. રેશ ધાનાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સહયોગનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.પ્રજાના પ્રતિનિધિના ઇમાનને ખરીદવાની કમલમ ખાતે દુકાન ચાલે છે.કોંગ્રેસના ધારાસભ્યો એકજુથ રહી ભાજપની ખરીદ દુકાનને તાળું મારશે.વિધાનસભા પક્ષ વતી ખાતરી આપું છુ કે અમે તમને વિજયી બનાવીશું. ત્રીજા ઉમેદવારને ઉભા રાખવા એ ભાજપના સંસ્કારો દર્શાવે છે.ભાજપનો પ્રતિનિધિ મોઢું બંધ રાખવાના હપ્તા લે છે.