ખાદ્ય પદાર્થો પરના પ્રસ્તાવિત જીએસટી કાઉન્સિલના નિર્ણયના વિરોધમાં દેશભરનાં વેપારી સંગઠનોની બનેલી રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિનું એલાન ગઈ કાલે દિલ્હીની ભારતીય ઉદ્યોગ વ્યાપારી મંડળની રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિની બેઠકમાં ૧૬ જુલાઈએ ભારત બંધનો નિર્ણય લેવામાં આવ્યો અનાજ-કરિયાણાં અને ખાદ્ય પદાર્થો પર જીએસટી કાઉન્સિલ દ્વારા પ્રસ્તાવિત પાંચ ટકા જીએસટી લાગુ કરવાના વિરોધમાં દેશભરનાં વેપારી સંગઠનોની બનેલી રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિએ ગઈ કાલે શનિવાર,૧૬ જુલાઈએ ભારત બંધનું એલાન કર્યું હતું.
વેપારીઓ કહે છે કે ઈ-કૉમર્સ અને ઑનલાઇન વેપારને લીધે મોટા ભાગના વેપારો ખતમ થઈ રહ્યા છે એવા સમયે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અન-બ્રૅન્ડેડ અનાજમાં સમાવિષ્ટ ઘઉં,ચોખા,દાળ-કઠોળ,લોટ અને દહીં,દૂધ,પનીર જેવી આવશ્યક ખાદ્ય ચીજો પર પાંચ ટકા જીએસટી લાદવાના નિર્ણયથી મોંઘવારી તો વધશે જ;પણ નાના વેપારીઓના બિઝનેસનો ખાતમો થઈ જશે.
નવાઈની વાત એ છે કે જીએસટી દેશમાં શરૂ કરવામાં આવ્યો ત્યાર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જીવનાવશ્યક વસ્તુઓ પર કોઈ ટૅક્સ ન લગાડવા માટે તેમની જાહેર સભામાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આમ છતાં જીએસટી કાઉન્સિલે તેમની બેઠકમાં જીએસટી લાદવાનો નિર્ણય લેતાં દેશભરના વેપારી સમાજમાં રોષ ફેલાયો છે.વેપારીઓએ પહેલી જુલાઈએ જ પ્રસ્તાવિત જીએસટીનો વિરોધ કરતાં કિસાન આંદોલનની જેમ દેશભરમાં આંદોલન કરવાની ધમકી ઉચ્ચારી હતી.