સાપુતારા : વિશ્વ ફલક ક્ષેત્રે શ્રદ્ધાનું સ્થાન પામનાર ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એવું “શબરીધામ” થકી સંચાલિત વિવિધ શૈક્ષણિક કાર્યો, સેવાકાર્યો તેમજ અલગ-અલગ વિકાસકાર્યોના નવીનીકરણ તેમજ આયોજન બાબતે “શબરીધામ ટ્રસ્ટી મંડળની” ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે બેઠક યોજાઈ.આ પ્રસંગે ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ તેમજ માર્ગ અને મકાન તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતી રહી હતી.ડાંગ જિલ્લામાંથી સબરી સમિતિના કિશોરભાઈ ગાંવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ભાજપ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર,સંજય પાટીલ,પ્રવીણ આહિરે,રોહિત સુરતી,બિપીન રાજપૂત,સુરેશ નાયર સહિત આગેવાનોએ મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળ ની મુલાકાત લઈ આગામી દિવસોમાં સબરિધામ ને વધુ લોકભોગ્ય બનાવવા રજૂઆતો કરવામાં આવી હતી.


