By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શહીનબાગમાં આક્રમક દેખાવ કરનારા મુખ્ય કાર્યકર્તા સહિત ૫૦થી વધુ ભાજપમાં જોડાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શહીનબાગમાં આક્રમક દેખાવ કરનારા મુખ્ય કાર્યકર્તા સહિત ૫૦થી વધુ ભાજપમાં જોડાયા
GeneralNationalPolitics

શહીનબાગમાં આક્રમક દેખાવ કરનારા મુખ્ય કાર્યકર્તા સહિત ૫૦થી વધુ ભાજપમાં જોડાયા

HM News
Last updated: 17/08/2020 7:54 AM
HM News
5 years ago
Share
SHARE

ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સામે લાંબા સમય સુધી દિલ્હીના શાહીન બાગમા આક્રમક દેખાવ કરનારા કાર્યકર્તા શહજાદઅલી સહિત ૫૦થી પણ વધુ દેખાવકારો ભાજપમાં જોડાઈ ગયા છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ દ્રારા આ બારામાં એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં એવો ઉલ્લેખ છે કે મુસ્લિમ ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાજપમાં જોડાઇ રહ્યા છે અને અમે એમને આવકાર આપ્યો છે.શાહીન બાગ માં કેન્દ્ર સરકારના સીટીઝન શીપ એમેન્ડમેન્ટ એકટ ના પગલા સામે ભારે પ્રચડં વિરોધ પ્રદર્શન કરનારા દેખાવકારો ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે ત્યારે એમની પાછળ અન્ય કેટલાક કાર્યકરો પણ જોડાય તેવી શકયતા છે.

દિલ્હી ભાજપના પ્રમુખની હાજરીમાં એક સમારોહ યોજાયો હતો જેમાં આ તમામ કાર્યકરોને આવકારવામાં આવ્યા હતા અને એમને કેસરી ખેસ પહેરાવી દેવામાં આવ્યો હતો.મુખ્ય એકિટવિસ્ટ દ્રારા એવું બયાન આપવામાં આવ્યું છે કે ભાજપ લઘુમતિ નો દુશ્મન નથી.આ એક પ્રકારની ખોટી ગેરસમજ લઘુમતી સમુદાય માં ફેલાવી દેવામાં આવી છે પરંતુ તેમાં સચ્ચાઈ નથી.

સંશોધિત નાગરિકતા કાયદો (સીએએ)ના વિરોધના મુખ્ય કેન્દ્ર એવા શાહીન બાગના સામાજિક કાર્યકર શહજાદ અલી રવિવારે ભાજપમાં જોડાયા છે.દિલ્હી જપન અધ્યક્ષ આદેશ ગુપ્તાની હાજરીમાં તેમણે વિધિવત ભાજપની અંદર પ્રવેશ કર્યો છે.આ અવસર પર ભઆજપના નેતા શ્યામ જાજુ પણ હાજર હતા.એક પ્રકારે આ ઘટનાથી ઘણા લોકોને ઝટકો પણ લાગ્યો છે.કારણ કે શાહીનબાગ એ સીએએના વિરોધનું કેન્દ્ર ગણાતું હતું. આ સિવાય જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઇ ત્યારે ભાજપે શાહીન બાગને મુદ્દો બનાવીને તેના વિરોધમાં પ્રચાર કર્યો હતો. તેવામાં શાહીન બાગના સામાજિક કાર્યકર દિલ્હી ભાજપમાં જોડાયા તે વાતથી કેટલાક લોકોને આશ્ચર્ય થયું છે.

ભાજપમાં એન્ટ્રી કર્યા બાદ શહજાદ અલે કહ્યું કે, ‘હું ભાજપમાં એટલા માટે જોડાયો છું કે મારા સમુદાયના એ લોકોને ખોટા પાડી શકુ જેઓ ભાજપને પોતાનો દુશ્મન ગણે છે.આ સિવાય સીએએ મુદ્દે પણ અમે ભાજપને સાથ આપીશું.’ એવું કહેવમાં આવી રહ્યું છે કે શાહીનબાગના યુવા મુસ્લિમ ચહેરાને પોતાની તરફેણમાં લઇને ભાજપે ઘણું મોટું કામ કર્યુ છે.

આ વર્ષે નવરાત્રીમાં ગરબા કરવાની પરમિશન નઇ મળે: સરકાર
ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે દર્દીઓ પરેશાન
આ અભિનેત્રીએ ભાજપમાંથી આપી દીધું રાજીનામું
આજે આઝાદ હિંદ ફોજની વર્ષગાંઠ : જાણો કેવી રીતે આઝાદી માટે લડ્યાં સુભાષચંદ્ર બોઝ અને તેમની સેના
વર્ક ફ્રોમ હોમને કારણે ઓફિસની માંગ 2020માં 44 ટકા ઘટી
Share This Article
Facebook Email Print
Previous Article Bahrain: આ એક મુસ્લિમ દેશ છે….એમ કહીને ભગવાન ગણેશની મૂર્તિ તોડનારી મહિલાની મુશ્કેલીઓ વધી
Next Article હવે ‘વન નેશન-વન સ્ટાન્ડર્ડ’ લાગુ કરવાની તૈયારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up