શાહીન બાગમાં પોલીસે બિનજરૂરી રીતે રસ્તા બંધ કર્યા, પ્રદર્શન શાંતિપૂર્ણ

HM News
1 Min Read

ન્યુ દિલ્હી,તા.૨૩
શાહીન બાગમાં રસ્તો ખોલવાનો મામલો છેક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે વાતચીત કરવા માટે સુપ્રીમ કોર્ટે નિમેલા ત્રણ પૈકી એક વાર્તાકાર વજાહત હબીબુલ્લાહે સુપ્રીમ કોર્ટમાં પોતાનો એક રિપોર્ટ સોંપ્યો છે. જેમાં તેમને ઉપરથી દિલ્હી પોલીસ પર જ સવાલ ખડા કર્યા છે.
વાર્તાકાર વજાહત હબીબુલ્લાહે કહ્યું હતું કે, સંશોધીત નાગરિકતા કાયદા વિરૂદ્ધ શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનો શાંતિપૂર્ણ છે. તેમણે દાવો કર્યો હતો કે, અહીં ૫ રસ્તાઓ તો પોલીસે જ બંધ કરીને રાખ્યા છે.
સુપ્રીમ કોર્ટ તરફથી શાહીન બાગમાં રસ્તો ખોલવા માટે મોકલવામાં આવેલા ત્રણ વાર્તાકરોમાંના એક હબીબુલ્લાહે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં સોમવારે બે સભ્યોની બેંચ આ કેસની સુનાવણી કરશે. બજાહત ઉપરાંત આ કેસમાં સંજય હેગડે અને સાધના રામચંદ્રનને પણ વાર્તાકાર તરીકે નિમવામાં આવ્યા છે.
હબીબુલ્લાહે પોતાના સોગંધનામમાં લખ્યું છે કે, પોલીસે કોઈ જ કારણરસ રસ્તાઓ રોકીને રાખ્યા છે. જેના કારણે જ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોલીસે જ અહીં ૫ રસ્તાઓ રોકીને રાખ્યા છે. જોકે સ્કૂલ વાન અને એમ્બ્યુલેન્સને જવાની મંજૂરી છે પણ પોલીસ ચેકિંગ બાદ જ તેને મંજુરી આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, સીએએ,એનઆરસી અને એનપીઆરને લઈને સરકારે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવી જોઈએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *