આપણે જ્યારે કોઇ કાર્યને મહેનતથી કરતા હોઇએ અને ધાર્યુ પરિણામ પ્રાપ્ત ન થાય ત્યારે વિચારતા કરી દે તેવો સવાલ કે આવુ કેમ થાય છે.શાસ્ત્રો અનુસાર તેમજ હિંદૂ સંસ્કૃતિમાં જણાવાયું છે કે વ્યક્તિ પોતે યોગ્ય હોય, શિક્ષણ યોગ, સંસ્કારો યોગ્ય, પદ યોગ હોય છતાં જો જીવનમાં અનેક પ્રકારે વેઠવાનું આવતું હોય તો શાસ્ત્રોમાં આ પાછળ ચાર પીડાને જવાબદાર ગણી છે.પહેલી છે પિતૃપીડા,બીજું ગ્રહ પીડા,સ્થાન પીડા,ત્રીજુ દેવ પીડા.હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે તો આજે જાણીએ શું છે આ પિતૃપીડા.
જીવનમાં ત્રણ પ્રકારના તાપ ગણાવાય છે.જેને ત્રિવિધ તાપ કહેવામાં આવે છે. દૈહિક,દૈવિક અને ભૌતિક.આ તાપ એટલે કે પીડામાંથી મુક્તિ માટે શ્રાદ્ધ કર્મ અને પિતૃ શાંતિથી વિશેષ કોઈ ઉપાય નથી.આથી મનુષ્યે પ્રયત્ન પૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. પિતૃઓનો મહીનો ભાદરવો ગણાય છે.તેમાંયે પૂનમથી અમાસ સોળ દિવસ શ્રાદ્ધ પક્ષ ગણાય છે. પિતૃઓનું તર્પણ કરવાનું વિધાન શાસ્ત્રોમાં છે.
ભારતીય સંસ્કૃતિ કહે છે કે આત્મા મરતો નથી.તેની સાથે સાથે લાગણીના તાણાં વાણાં પણ મરતા નથી.જ્યારે પિતૃઓને તકલીફ પડે છે ત્યારે તે ગતિ અને મોક્ષ માટે પોતાના સગા સંબંધી અને સ્નેહીઓ પાસે આશા રાખે છે.શાસ્ત્રોમાં ભગવાન રામે ખુદ પિતૃશ્રાદ્ધ કર્યાનો ઉલ્લેખ છે.આ વિશેની રોચક કથા રામાયણમાં છે.
શા માટે પિતૃઓ કરે છે પરેશાન
હિંદૂ સંસ્કૃતિમાં એક મહાન નિયમ છે ત્યાગીને ભોગવો. એટલે કે જે વસ્તુ ત્યાગો તેને ભોગવો.એટલે કે વ્યક્તિએ પોતે જીવનમાં કોઈ ત્યાગ કે દાન કરેલું હોવું જોઈએ તો તેને મળે.જો તેણે ન કરેલું હોય કે ન કરી શક્યો હોય તો તેના પરિવારજનો કરે. કારણ કે આપ્યા વગર કશું મળતું નથી.મૃત વ્યક્તિની પાછળ તેના નિમિત્તે કરેલું દાન પુણ્ય તેને મળે છે.સૂર્યની હાજરીમાં કરાયેલા દાન અંગે સૂર્યને સાક્ષી માનવામાં આવે છે.તેથી પિતૃ જે યોની હોય ત્યાં તેને તેની પાછળ કરાયેલું દાન અને પુણ્ય કર્મ તેના સુધી પહોંચતું કરવા પરમાત્મા ખાસ કરીને ભગવાન વિષ્ણુ બંધાયેલા છે.તેથી તેને મળે છે.જો દાન કરવું જોઈએ અને તે દિવસ દરમિયાન કરવું જોઈએ.
શાસ્ત્રોમાં એવું વિધાન છે કે જે પરિવારજનો પોતાના પિતૃઓ પાછળ શ્રાદ્ધ કર્મ નથી કરતાં,તે પિતૃઓ અતિ વિકટ સ્થિતિ ભોગવે છે,તેમને પીવા માટે પાણી પણ મળતું નથી.જ્યારે પિતૃઓ ત્રસ્ત થાય છે તે પોતાના પરિવારજનોને પરેશાન કરે છે.ત્રસ્ત પિતૃઓ પરિવારજનોને શ્રાપ પણ આપી દેવા પ્રેરાય છે.
પિતૃગણ અમાસ સુધી શ્રાદ્ધ કર્મ વિશે પ્રતીક્ષા કરીને પછી પરિવારજનોને શ્રાપ આપીને ચાલ્યા જાય છે.તે પછી પરિવારમાં જન્મતા બાળકોમાં જન્મગત પિતૃ દોષ, કાળ સર્પ યોગ જેવા યોગો લઈને જન્મે છે.શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સંતાનની પ્રાપ્તિ પિતૃ કૃપા વગર થતી નથી.લેણ-દેણ અને ઋણાનુંબંધ અનુસાર જીવ પરિવારમાં જન્મ લેતો હોય છે