શિવસેનાએ પાર્ટીના તમામ બળવાખોર ધારાસભ્યોને પરત ફરવા અપીલ કરી છે.પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમે મહાવિકાસ અઘાડી સરકારથી પોતાને અલગ કરીશું,પરંતુ પહેલા બળવાખોર ધારાસભ્યોએ ગુવાહાટીથી મુંબઈ પરત આવવું જોઈએ.મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રી અને શિવસેના નેતા એકનાથ શિંદેના બળવાને કારણે રાજ્યના રાજકારમાં ધમાસાણ મચી છે.એવામાં શિવસેનાએ પાર્ટીના તમામ બળવાખોર ધારાસભ્યોને પરત ફરવા અપીલ કરી છે.પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમે મહાવિકાસ અઘાડી સરકારથી પોતાને અલગ કરીશું,પરંતુ પહેલા બળવાખોર ધારાસભ્યોએ ગુવાહાટીથી મુંબઈ પરત આવવું જોઈએ.આ પહેલા રાઉતે પોતાના ધારાસભ્યોને વ્હોટ્સએપ અને ટ્વીટને બદલે સામસામે બેસવાનું કહ્યું હતું.શિવસેનાના બે બળવાખોર ધારાસભ્યો પરત ફર્યા બાદ સંજય રાઉતે પીસીને કહ્યું કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો 24 કલાકમાં પાછા ફરે.અમે મહાવિકાસ અઘાડીમાંથી બહાર આવવાનું વિચારીશું.