કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોનાની મહામારી સામે લડવા આપેલા સૂચનોની શિવસેનાએ તેના મુખપત્ર સામનામા વખાણ કર્યા છે.રાહુલ ગાંધીએ ગુરુવારે કોરોનાની સ્થિતિને લઈને ગુરુવારે વિડીયો કોન્ફરન્સ કરી હતી.
સામનાએ આ પ્રેસ સંબોધનને રાહુલ ગાંધીની ચિંતન શિબિર નામ આપવામા આવ્યું છે.તેમજ કહેવામા આવ્યું છે કે ‘ગાંધી વિચાર’ દેશભરમા પહોંચવા જોઈએ.સામનામા લખવામા આવ્યું છે કે કોરોના મામલામા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે સીધી ચર્ચા થવી જોઈએ.આ પ્રથમવાર નથી કે જયારે સામનાએ પોતાના સંપાદકીયમા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે.મહારાષ્ટ્રમા શિવસેના જયારે ભારતીય જનતા પાર્ટી સાથે હતી ત્યારે પણ અર્થવ્યવસ્થા અને બેરોજગારીના મુદ્દા પર ઉઠાવેલા રાહુલ ગાંધીના સવાલોને સામનામા વખાણવામા આવતા હતા.
આ વખતે રાહુલ ગાંધીના વખાણનો જે આધાર છે તે રાહુલ ગાંધીએ આપેલા પત્રકારના સવાલના જવાબ છે.તેમણે કહ્યું કે અત્યાર કોરોના પર વિજયની જાહેરાત કરી શકાય તેમ નથી કોરોનાને નાથવા માટે સતત તેનું ટેસ્ટીંગ વધારવું પડશે.તેમજ લોકડાઉન બાદ જયારે લોકો બહાર આવશે ત્યારે આ વાયરસ ફરીથી ફેલાશે.તેમજ તેનું સ્વરૂપ વિકરાળ હશે.તેથી જ વધારેમા વધારે લોકોની તપાસ કરવામા આવે તો જ લોકડાઉન બાદ આ વાયરસને હરાવી શકાશે.
શિવસેનાએ સામનામા કહ્યું કે કોરોના સંકટના સમયે વિરોધી પક્ષની ભૂમિકા કેવી હોવી જોઈએ.રાહુલ ગાંધી તેનું ઉત્તમ ઉદાહરણ છે.સંપાદકીયમા કહેવામા આવ્યું કે રાહુલ ગાંધી અને મોદી વચ્ચે પ્રત્યક્ષ સંવાદ અને ચર્ચા થવી જરૂરી છે.