By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રહાર : ભાજપની ચૂંટણી જીતવાની હવસ ગંગા નદીને હિન્દુઓની શબ વાહિની બનાવી દેશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રહાર : ભાજપની ચૂંટણી જીતવાની હવસ ગંગા નદીને હિન્દુઓની શબ વાહિની બનાવી દેશે
GeneralNational

શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રહાર : ભાજપની ચૂંટણી જીતવાની હવસ ગંગા નદીને હિન્દુઓની શબ વાહિની બનાવી દેશે

HM News
Last updated: 26/05/2021 11:20 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ,તા.26 મે 2021 : શિવેસનાના મુખપત્ર સામનામાં ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યુ છે.જેમાં કહેવાયુ છે કે, પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ફરી યુપીમાં ચૂંટણી તૈયારીમાં લાગી ગયા છે.ચૂંટણી જીતવાની હવસ ગંગા નદીને હિન્દુઓની શબ વાહિનીમાં ફેરવી નાંખી શકે છે.

સામનાના લેખમાં કહેવાયુ છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ જીત મેળવી શક્યુ નથી.ખુદ યુપીના સીએમ બંગાળમાં સ્ટાર પ્રચારક હતા.હિન્દુત્વના નામ પર બંગાળમાં ધાર્મિક વિભાજન થઈ શક્યુ નહોતુ અને ત્યાં હિન્દુત્વની ટુલકિટ કામ લાગી નહોતી.
યુપીમાં બંગાળ જેવુ ના થાય તે માટે બધા અત્યારથી કામે લાગી ગયા છે.દેશની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ ચુકી છે એટલે હવે ચૂંટણીઓી જાહેરાત કરવી,મોટી સભાઓ કરવી અને રોડ શો કરવાના જ બાકી રહી ગયા છે.શું અત્યારનો માહોલ ચૂંટણીઓ યોજવા માટે યોગ્ય છે ખરો?

તેમાં લખવામાં આવ્યુ છે કે, પશ્ચિમ બંગાળ સહિતની ચાર રાજ્યોની ચૂંટણીના કારણે કોરોનાનુ મોટુ જોખમ સર્જાયુ હતુ.બંગાળમાં આઠની જગ્યાએ એક જ તબક્કામાં ચૂંટણી યોજવાની વાત સરકારે કાને ધરી નહોતી.હાઈકોર્ટે પણ તેની ટીકા કરી હતી અને હવે યુપીના મામલામાં આ જ ભૂલ કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે.ગંગા નદીમાં અત્યારે લોકોના મૃતદેહો જોવા મળી રહયા છે.જેની તસવીરો દુનિયાભરમાં છપાઈ છે.હવે બગડેલી ઈમેજ કેવી રીતે સુધારી શકાય અને ચૂંટણી જીતવા શું કરી શકાય તેના પર ચિંતન થઈ રહ્યુ છે.

સામનામાં કહેવાયુ છે કે, ગંગામાં વહી રહેલા મૃતદેહોને તો ફરી જીવતા કરી શકાય તેમ નથી.આ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવા માટે પણ સંઘ પરિવારના સ્વયંસેવકો આગળ આવતા નજરે પડી રહ્યા નથી.આ દ્રશ્યો આગામી ચૂંટણીમાં તકલીફજનક સાબિત થશે.

અયોધ્યામાં રામ મંદિરનુ પૂજન કોરોના કાળમાં કરાયુ હતુ પણ ભૂમિ પૂજન પર ગંગામાં વહી રહેલી લાશો ભારે પડી રહી છે.અયોધ્યા આંદોલન વખતે કાર સેવકો પર ગોળીઓ ચલાવાઈ ત્યારે સરયૂ નદીમાં સાધુ સંતો અને કાર સેવકોની લાશો જોવા મળી રહી હતી.આ આંદોલન થકી ભાજપની સરકાર કેન્દ્રમાં આવી પણ આજે ગંગામાં હિન્દુઓની લાશો વહી રહી છે.જે ભાજપને પરાજય તરફ ધકેલી રહી છે.કોરોનાની લડાઈની જગ્યાએ ચૂંટણીને પ્રાથમિકતા આપવામાં આવશે તો એવુ ના થાય કે ગંગા નદી હિન્દુઓ માટે શબ વાહિની બની જાય.

કોઈ હિન્દુ 2024માં અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે, જાણો શા માટે અમેરિકન ભારતીયો આવું સ્વપ્ન જોઈ રહ્યા છે
મધ્યપ્રદેશમાં સરકારને અસ્થિર કરવા ભાજપ સક્રિય :કોંગ્રેસના ધારાસભ્યોને 20થી 25 કરોડની ઓફર : દિગ્વિજયસિંહનો આરોપ
કોરોનાનો કહેર: મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 400ને પાર
90 ટકા લોકો ‘ફેક ન્યુઝ’ને ઓળખી શકતા નથી
Cyclone Biparjoy : પોરબંદર, જખૌ અને દ્વારકામાં 10 નંબરનું સિગ્નલ, જેનો અર્થ છે મહા ભય
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં વાલ્મીકિ સમાજના આગેવાનોએ ક્લેક્ટર કચેરી સામે દવા પી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
Next Article ભારતીય શેરબજારમાં મે ફ્યુચર વલણ પૂર્વે સાવચેતીનો માહોલ…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up