– મોટા પ્રમાણમાં બેનામી માલમત્તા,હવાલાના વહેવારો મળી આવ્યા
– કોન્ટ્રાક્ટરોએ ગેરરીતિ આચરી ૨૦૦ કરોડની આવકની ઉચાપત કરી
મુંબઈ : ઈન્કમ ટેક્સ વિભાગે ગયા અઠવાડિયે શિવસેનાના એક નગરસેવક અને પાલિકાના અમુક કોન્ટ્રાક્ટરો પર છાપાઓ માર્યા હતા.આ કાર્યવાહીમાં ૧૩૦ કરોડ રૃપિયાની ગેરકાયદે સંપત્તિનો પર્દાફાશ થયો છે જેમાં બેનામી માલમત્તા,હાલના વહેવારો આદીનો સમાવેશ થાય છે.ઈન્કમ ટેક્સ વિભાગે ૨૫ ફેબુ્રઆરીના રોજ મુંબઈમાં વિવિધ ૩૫ સ્થળોએ છાપાઓ માર્યા હતા.આ સંદર્ભે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) અનુસાર પ્રાથમિક તપાસ એવું સૂચવે છે કે આ કોન્ટ્રાક્ટરોએ ગેરરીતિ આચરી ૨૦૦ કરોડ રૃપિયાની આવકની ઉચાપત કરી છે.આ સંદર્ભે સીબીડીટીના એક પત્રક અનુસાર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યથવંત જાધવ તેમના અમુક સહયોગી અને પાલિકાના અમુક કોન્ટ્રાક્ટરોના વિવિધ સ્થળો પર છાપા મારીની કાર્યવાહી કરવામાં આવી હતી.
આઈટી વિભાગે તેમની આ કાર્યવાહી દરમ્યાન ગેરરીતિ સૂચવતા અનેક કાગળીયાઓ,ડિજીટલ પુરાવાઓ જપ્ત કર્યા હતા. જપ્ત કરેલ આ પુરાવાઓ કોન્ટ્રાક્ટર અને જે- તે વ્યક્તિના ઘનિષ્ઠ સંબંધ હોવાનું પુરવાર કરે છે.આમાં ૩૬થી વધુ સ્થાવર મિલકતની કિંમત ૧૩૦ કરોડ રૃપિયાથી પણ વધુ હોવાનો અંદાજ છે.સીબીડીટીના દાવા અનુસાર આ માલમત્તામાં જાધવ તેમના સહયોગીઓ અથવા અન્ય વ્યક્તિઓના નામે લીધેલી બેનામી સંપત્તિઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત તેમનો આંતરરાષ્ટ્રીય હવાલા વહેવારમાં સહભાગ અને ગેરકાયદેસર કમાયેલ અમુક રકમ પરદેશમાં મોકલી હોવાના પુરાવાઓ પણ મળી આવ્યા છે.આ સિવાય અનેક કરોડની હિસાબ વગરની પાવતીઓ (રિસીપ્ટ) અને પેમેન્ટની વિગતની ફાઈલો મળી આવી છે.
સીબીડીટી અનુસાર જપ્ત કરેલા કાગળીયાઓ પરથી કોન્ટ્રાક્ટરોની એવી મોડલ ઓપરેન્ડી બહાર આવી છે કે આ લોકોએ ખર્ચો વધારે બતાવી કરપાત્ર આવકની મોટા પ્રમાણમાં ઉચાપત કરી છે.આ કોન્ટ્રાક્ટરોએ ૨૦૦ કરોડ રૃપિયાના આવકની ગેરરીતિ આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.આ કાર્યવાહી દરમ્યાન બે કરોડ રૃપિયાની અઘોષિત રોકડ અને દોઢ કરોડ રૃપિયાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
આવકવેરા વિભાગની આ કાર્યવાહી બાબતે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે આ કાર્યવાહી શિવસેનાની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના આશયથી અને મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે.હાલ પાલિકા પર શિવસેનાનું રાજ છે.