શિવસેનાના 20થી વધુ ધારાસભ્યો સુરત મગદલ્લાની હોટલમાં ભેગા થયાં

HM News
2 Min Read

સુરત : મંગળવાર : મહારાષ્ટ્ર રાજ્ય સરકારના મંત્રી એકનાથ શિંદે સાથે વીસેક જેટલા ધારાસભ્યો ગઈકાલ રાતથી સંપર્ક વિહોણા થયા હતા તે સુરત રોકાયા હોવાની વાત થી ગુજરાતના રાજકારણ ગરમાયું છે.ગઈકાલ રાતથી ગાયબ થયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ધારાસભ્યો સુરત મગદલ્લાની એક હોટલમાં રોકાયા હોવાનું બહાર આવ્યું છે.આગામી દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણ માટે સુરત અને ગુજરાત એપી સેન્ટર બની શકે છે.

મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર સામે સંકટના વાદળ ઘેરાયા છે શિવસેનાથી નારાજ મંત્રી એકનાથ સિંદે ગઈકાલ રાથી સંપર્ક વિહોણા થયા ંહતા.એકનાથ સિંદે સાથે શિવસેનાના 20 જેટલા ધારાસભ્યો પણ સંપર્ક વિહોણા થયાં હોવાની ચર્ચા શરૃ થઈ હતી.જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું હતું.

જોકે,મોડી રાત્રે મંત્રી એકનાથ સિંદે સહિતના કેટલાક ધારાસભ્યો સુરતના મગદલ્લા એક હોટલમા આવી પહોંચ્યા હોવાની વાત સાથે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે.નારાજ મંત્રી સાથે સુરતના મગદલ્લા હોટલમાં આ ધારાસભ્યો રોકાયા હોય સુરત સહિત ગુજરાતના રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે.એવું ચર્ચાઈ રહ્યું છે કે સુરત ભાજપના એક મોટા નેતા સાથે એકનાથ સિંદે ઘરોબો છે તેથી તેઓએ સુરતને પસંદ કર્યું છે.

સિંદે અને ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે તે હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આજે દિવસ દરમિયાન શિદે પત્રકાર પરિષદ કરી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.એકનાથ સિંદે અને ધારાસભ્યો નારાજ થઈ સંપર્ક વિહોણા થયા અને સુરત આવ્યા હોવાથી આગામી દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

શિંદે બપોરે 12 કલાકે પત્રકાર પરિષદ કરી શકે છે.એવું પણ જાણવા મળી રહ્યું છે કે બાળા સાહેબ ઠાકરેના ખાસ અને સૌથી નજીકના માનતા નેતા શિંદે પાસે સુરતમાં હોય તેનાથી વધારે ધારાસભ્યોનો ટેકો હોય શકે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *