મુંબઈ : મુંબઈ કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ સાંસદ સંજય નિરૂપમના ખૂબ નજીકના ગણાતા વિશ્વબંધુ રાયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.રાયે પોતાના પત્રમાં લખ્યું છે કે,મહારાષ્ટ્રમાં સાથી પક્ષ શિવસેના અને એનસીપી કોંગ્રેસને ખતમ કરવા કાવતરું ઘડી રહ્યા છે.બંને પક્ષો સતત દરેક મોરચે કોંગ્રેસને ખતમ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.એનસીપી અને શિવસેના સાથે કોંગ્રેસનું જોડાણ આત્મહત્યા સાબિત થશે.
મહાવિકાસ આઘાડી સરકારમાં કોંગ્રેસની અત્યંત દયનીય સ્થિતિ
વિશ્વબંધુ રાયે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં એમ પણ કહ્યું છે કે, 2019 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જનતાને જે પણ વચનો અપાયા હતા.તેમાનાં હજી પૂર્ણ થયા નથી.મહાવિકાસ આઘાડી સરકારમાં કોંગ્રેસની અત્યંત દયનીય સ્થિતિ છે.શિવસેના અને એનસીપીના નેતાઓ સતત કોંગ્રેસને દબાવવા પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ ગઠબંધન ભવિષ્યમાં કોંગ્રેસ માટે નુકસાન સાબિત થઈ શકે તેમ છે.તેમણે કહ્યું હતું કે રાજભરમાંથી કોંગ્રેસને નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે.
મહાવિકાસ આઘાડી સરકારમાં યોગ્ય માન અને મહત્વ નથી અપાતું
મહારાષ્ટ્ર કોંગ્રેસના ઘણા મંત્રીઓ પણ સમયાંતરે આ વાતને દોહરાવી છે કે મહાવિકાસ આઘાડી સરકારમાં તેમને યોગ્ય માન અને મહત્વ આપવામાં આવી રહ્યું નથી. આ કહેનારાઓમાં કેટલાક કેબિનેટ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.તાજેતરમાં, શિવસેનાએ જે રીતે તેના સંપાદકીય દ્વારા કોંગ્રેસ હાઇ કમાન્ડ અને કોંગ્રેસ પાર્ટીને ખુલ્લેઆમ ધજાગરા ઉડાવ્યા હતા.તેમાંથી એ પણ સ્પષ્ટ છે કે આ સરકારમાં કોંગ્રેસનું ઘણું કરવાનું કંઈ છે જ નહીં.