નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ભાજપના સાંસદ છત્રપતિ સાંભાજી રાજેને એપોઈન્ટમેન્ટ ના આપી એ મુદ્દો ચગતાં ભાજપના નેતાઓની હાલત બગડી ગઈ છે.સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ રદ કરતો ચુકાદો આપ્યો પછી રાજેએ મોદીને મળવા સમય માંગ્યો હતો.રાજે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ પણ છે.
મરાઠા અનામત મુદ્દે ચર્ચા કરવા માટે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી
રાજેએ મરાઠા અનામત મુદ્દે ચર્ચા કરવા માટે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ મોદીએ ના પાડી દીધી.છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર આ મુદ્દો ગાજી રહ્યો છે.મોદીને મરાઠાઓને અનામત મળે તેમાં રસ નથી એ પ્રકારની કોમેન્ટસ તો થઈ જ રહી છે પણ રાજે ભાજપના સાંસદ હોવા છતાં મોદી તેમને ના મળ્યા તો સામાન્ય લોકોને શું મળે એવી ટીકા પણ થઈ રહી છે.ભાજપના નેતા એવો બચાવ કરી રહ્યા છે કે, આ મુદ્દો કેન્દ્રનો નહીં પણ રાજ્ય સરકારનો છે એવું મોદીને લાગે છે.આ સંજોગોમાં રાજેને મળવાનો અર્થ જ નહોતો.