By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શું દેશભરમાં 21 દિવસ બાદ પણ ચાલુ રહેશે લોકડાઉન?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શું દેશભરમાં 21 દિવસ બાદ પણ ચાલુ રહેશે લોકડાઉન?
GeneralNational

શું દેશભરમાં 21 દિવસ બાદ પણ ચાલુ રહેશે લોકડાઉન?

HM News
Last updated: 26/03/2020 12:06 PM
HM News
5 years ago
Share
SHARE

દુનિયાભરમાં તબાહી મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ પોતાના પગ પસાર્યા છે. ગુરૂવાર સુધી દેશમાં આ બીમારીનાં કારણે 650 લોકો સંક્રમિત થયા છે. ભારતમાં સમુદાયમાં કોરોના ના ફેલાય તે માટે ભારત સરકારે 21 દિવસ સુધીનું લોકડાઉન લગાવી દીધું છે. આ લોકડાઉનનાં બીજા દિવસે મોદી સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, પરંતુ જે રીતે દરેક યોજનાને આગામી ત્રણ મહિના સુધી તૈયાર કરવામાં આવી છે તેનાથી એ વાતની સંભાવનાને બળ મળી રહ્યું છે કે શું આ લોકડાઉન 21 દિવસથી પણ વધારે ચાલશે?

1.70 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત

લોકડાઉનનાં કારણે ઘરોમાં કેદ થયેલી જનતા પરેશાન છે અને વિરોધ પક્ષ તરફથી આર્થિક પેકેજની માંગ સતત થઈ રહી હતી. આ દરમિયાન ગુરૂવારનાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સામે આવ્યા અને 1.70 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત કરી. નિર્મલા સીતારમણે આ દરમિયાન મહિલાઓનાં ખાતામાં પૈસા, મફત ગેસ સિલેન્ડર, ખેડૂતોને આર્થિક મદદ, કર્મચારીઓનાં ઈપીએફમાં મદદ જેવી મોટી જાહેરાત કરી, પરંતુ આમાં ફક્ત એક જ ચીજ કોમન હતી એ હતી દરેક ચીજની તૈયારી ત્રણ મહિના માટે કરવામાં આવી છે.

14 એપ્રિલ સુધી લોકોએ પોતાના ઘરોમાં કેદ રહેવાનું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે દેશને કોરોના મહામારીનાં સંકટ પર દેશને સંબોધિત કર્યો હતો, ત્યારે તેમણે દેશવાસીઓ પાસે બે-ત્રણ અઠવાડિયા માંગ્યા હતા. ત્યારબાદ પહેલા એક દિવસ માટે જનતા કર્ફ્યૂ લગાવ્યું, પરંતુ 24 માર્ચનાં 21 દિવસનું મહાકર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું. એટલે કે 14 એપ્રિલ સુધી લોકોએ પોતાના ઘરોમાં કેદ રહેવાનું છે.

ત્રણ મહિના સુધીની રાહતોની જાહેરાત

પરંતુ હવે જ્યારે ત્રણ મહિના સુધીની રાહતોની જાહેરાત કરવામાં આવી છે, તેવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી તૈયારીઓને લઇને આગળ વધી રહી છે. જો કે કેન્દ્ર સરકારે આ વાતની પુષ્ટિ નથી કરી. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો કોરોના વાયરસની સ્થિતિ નહીં સુધરે તો શું લોકડાઉનને 21 દિવસથી વધારીને એપ્રિલ-મે અને જૂન સુધી ચાલુ રાખવામાં આવી શકે છે?

ગુજરાત : મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક કરવામાં આવી
આત્મનિર્ભર રાહત પેકેજમાં કશુ નહિ મળતા વેપારીઓ,ઉદ્યોગપતિઓ નારાજ
વાઘોડિયાના દબંગ MLA મધુ શ્રીવાસ્તવને ભાજપે બીજો મોટો ઝાટકો આપ્યો, દીકરા બાદ હવે….
એઈમ્સના વરિષ્ઠ ડોક્ટરે કોરોના ગ્રસ્ત પુત્રની માહિતી છુપાવી
બારડોલીમાં કમોસમી વરસાદના ઝાપટાંએ ખેડૂતોની ચિંતા વધારી
Share This Article
Facebook Email Print
Previous Article જત વિશેષ જણાવવાનું કે લોકડાઉનની સ્થિતિમાં હિન્દુતાન મિરર માત્ર ડિજિટલ ફોરમેટમાં જ રીલીઝ થશે
Next Article મલેશિયાના રાજવી પરિવારના મહેલમાં પહોંચ્યો કોરોના વાયરસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up