નવી દિલ્હી, 27 મે : સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે,ખાનગી ટ્રસ્ટ ની હોસ્પિટલો,કે જેઓને છૂટના ભાવે સરકારી જમીન મળી છે,તે કોરોના દર્દીઓની મફત અથવા ઓછા ખર્ચે સારવાર કરશે કે કેમ.કોર્ટે કેન્દ્ર સરકારને એક સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ આપ્યો.મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે ની અધ્યક્ષતાવાળી બેચે,વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આ નોટિસ ફટકારી છે.
વકીલ સચિન જૈને અરજી કરી છે કે,દેશભરની કોર્પોરેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવારના ખર્ચને નિયંત્રિત કરવા માંગ કરવામાં આવે છે.અરજીમાં જણાવાયું છે કે,કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા કોરોના સારવાર માટે લેવામાં આવતી રકમની ઉપલી મર્યાદા નક્કી કરવી જોઈએ.અરજીમાં કહેવામાં આવ્યું છે કે,કોર્પોરેટ હોસ્પિટલો કોરોનાની સારવાર માટે દસથી 12 લાખ રૂપિયા વસૂલ કરે છે, જે દરેક વ્યક્તિના નિયંત્રણમાં નથી.