આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ પરિણામ પરીક્ષાનું પરિણામ પરિણામ ગત વર્ષ કરતાં ૬ થી ૭ થી ૭ ટકા નીચું આવ્યું છે એમાંય ખાસ કરીને ગણિત જેવા વિષયમાં વિદ્યાર્થીઓને 20 જેટલા માર્કસ ગ્રેસિંગ આપવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી અને શિક્ષણ તંત્ર ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે બહાર આવેલી માહિતી મુજબ હાલમાં ગુજરાતમાં 6207 સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં આશરે 1466 જેટલી ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે સવાલોએ ઉઠી રહ્યા છે કે શું આ રીતે ભણશે ગુજરાત?
એક બાજુ ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાત ના નામે અનેક તાયફાઓ કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ પરિણામ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે.એમાંય ખાસ કરીને ઝીરો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.ઉપરાંત ગણિતમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે સવાલ એ પેદા થાય છે કે શું આજ છે માત્ર રૂપાણી સરકારનું ગતિશીલ ગુજરાત? ધો. 10 માં 2017થી 2020 સુધી ગણિત-વિજ્ઞાનનું પરિણામ સતત ઘટી રહ્યું હોવા છતાં પણ સ્કૂલોમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની જગ્યા ખાલી છે.રાજ્યની 6207 સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની 1466 જગ્યા ખાલી છે. રાજ્યમાં માધ્યમિક વિભાગમાં અંદાજે 19 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
રાજ્યની 5209 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગણિત-વિજ્ઞાનના મંજૂર થયેલા શિક્ષકોની સંખ્યા 7433 છે, જેમાં 6394 શિક્ષકો કામ કરી રહ્યા છે અને 1039 શિક્ષકોની જગ્યા ખાલી છે.જ્યારે રાજ્યની 998 સરકારી માધ્યમિક સ્કૂલોમાં તમામ વિષયના 1256 શિક્ષકોની જગ્યા ખાલી છે,જેમાંની 427 ખાલી જગ્યા માત્ર ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની છે. સરકાર દ્વારા એક બાજુ રાજકીય તાયફાઓ કરવા માટે લખલૂટ ખર્ચ કરવામાં આવે છે,ત્યારે ગુજરાતના શિક્ષણ પાછળ આટલી બધી બેદરકારી શા માટે રાખવામાં આવે છે ? સમગ્ર દેશમાં દિલ્હીનું શિક્ષણ મોડલ પ્રશંસાને પાત્ર બની રહ્યું છે ત્યારે ગુજરાતનું શિક્ષણ મોડલ આટલે હદ સુધી કથળવા પાછળ જવાબદાર કોણ ?