By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શ્રમિકોને સહાયના નામે પણ ભાજપનું રાજકારણ : વલસાડ રેલવે સ્ટેશન પર કોંગ્રેસના નેતાઓ ધક્કે ચઢ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > શ્રમિકોને સહાયના નામે પણ ભાજપનું રાજકારણ : વલસાડ રેલવે સ્ટેશન પર કોંગ્રેસના નેતાઓ ધક્કે ચઢ્યા
GeneralPoliticsSouth Gujarat

શ્રમિકોને સહાયના નામે પણ ભાજપનું રાજકારણ : વલસાડ રેલવે સ્ટેશન પર કોંગ્રેસના નેતાઓ ધક્કે ચઢ્યા

HM News
Last updated: 10/05/2020 9:41 AM
HM News
5 years ago
Share
SHARE

જે રીતે સુરતમાં કોંગ્રેસ નેતાઓની રેલવે પોલીસે અટકાયત કરી હતી.એમ વલસાડમાં કોંગ્રેસ નેતાઓને પોલીસે ધક્કા માર્યા હતા.વલસાડ રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશના ગોરખપુર જવા માટે શનિવારે પહેલી ટ્રેન રવાના થવાની હતી.જેમાં 1230 પરપ્રાંતિય શ્રમિકોને રવાના કરવા માટે કોંગ્રેસના નેતાઓ રેલવે સ્ટેશન આવ્યા હતા.પણ પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચેના ઘર્ષણમાં ભાજપે તક ઝડપી હતી.ભાજપના નેતાઓએ આ ટ્રેનને લીલીઝંડી આપી દીધી હતી.

બીજી તરફ કોંગ્રેસ નેતાઓ,કાર્યકર્તાઓ તેમજ આગેવાનોને પોલીસે પ્લેટફોર્મની બહાર નીકળી જવાનું ફરમાન કરતા મામલો માહોલ બગડ્યો હતો. વલસાડના અબ્રામા,મોગરાવાડી,હરિયા,કાંજણરણછોડ હનુમાન ભાગડા,ગુંદલાવ સહિના વિસ્તારમાં કામ કરતા શ્રમિકો પોતાના વતન જવા માટે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર શનિવારે બપોરના સમયે એકઠા થયા હતા.મામલતદાર કચેરી તથા તંત્ર તરફથી નોંધણી કર્યા બાદ ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી હતી.ટિકિટ નક્કી થઈ જતા તમામ શ્રમિકોને એસટી બસમાં રેલવે સ્ટેશન સુધી લાવવામાં આવ્યા હતા.શ્રમિકોને વિદાય આપવા માટે ભાજપ સાંસદ ડૉ.કે.સી. પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ પારડી,ઘારાસભ્ય કનુ દેસાઈ,ભરત પટેલ,અરવિંદ પટેલ તથા ભાજપ કાર્યકરો રેલવે સ્ટેશન પર આવ્યા હતા.

બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા ગૌરવ પંડ્યા,ધારાસભ્ય જીતુ ચૌધરી,જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભોલા પટેલ,યુથ કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ તથઆ કાર્યકરો પણ રેલવે સ્ટેશને આવ્યા હતા.અઢી વાગે ટ્રેન ઉપડવાની હતી.સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીને કોંગ્રેસ ટુકડીને પોલીસે પ્લેટફોર્મ છોડીને જવાનું કહ્યું હતું.જેની સામે કોંગ્રેસ નેતા તથા કાર્યકરો આક્રમક મૂડમાં આવી ગયા હતા.પોલીસ અધિકારીઓ તથા નેતા વચ્ચે તું તું મેં મેં થઈ ગઈ.પોલીસને પ્રશ્ન કર્યો હતો કે,શા માટે શ્રમિકોને મળવા જતા રોકવામાં આવે છે.SP સુનિલ જોષીએ શાંતિથી મામલો થાળે પાડી દીધો.જ્યારે ભાજપના પદાધિકારીઓએ ટ્રેનને લીલીઝંડી આપી દીધી હતી.શ્રમિકોએ જણાવ્યું હતું કે,ટ્રેનમાં પણ સોશિયલ ડિસન્ટન્સિંગ જાળવવામાં આવ્યું છે.

ભોજનની વસ્તુઓ પણ આપી છે.કેન્દ્ર તથા રાજ્ય સરકારનો સહયોગ સારો છે. ડૉ. કે.સી. પટેલે કહ્યું હતું કે, શ્રમિકો સુખમય રીતે પોતાના વતન પહોંચે એ જરૂરી છે જોકે,આ પહેલા સુરતમાં પણ આવી ઘટના જોવા મળી હતી.કોંગ્રેસના નેતાઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

RBIના આદેશેનો અનાદર કરવા બદલ ઓલા ફાઈનાન્સને ૧.૬૭ કરોડનો દંડ
પત્રકાર રોહિત સરદાનાના અવસાનથી મીડિયા જગતમાં શોકનો માહોલ, બે દિવસ પહેલા સુધી કરી રહ્યા હતા લોકોની મદદ
‘આઝાદી ભીખમાં મળી’ના નિવેદન પર કંગના જબરી ભરાઈ, હવે આ સંગીતકારે અભિનેત્રી પર સાધ્યું નિશાન
PM મોદીએ ગુજરાતને આપી બે મોટી ભેટ, બોલ્યા – આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ રહ્યુ છે ભારત
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ બાબતે ફટકાર લગાવી
Share This Article
Facebook Email Print
Previous Article ‘No Muslim Staffs’: ચેન્નાઈમાં બેકરી માલિકની જાહેરાત મામલે ધરપકડ
Next Article સુરત સિવીલ હોસ્પિટલમાં 256 કોરોના પોઝીટીવમાંથી 25ની હાલત ગંભીર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up