જે રીતે સુરતમાં કોંગ્રેસ નેતાઓની રેલવે પોલીસે અટકાયત કરી હતી.એમ વલસાડમાં કોંગ્રેસ નેતાઓને પોલીસે ધક્કા માર્યા હતા.વલસાડ રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશના ગોરખપુર જવા માટે શનિવારે પહેલી ટ્રેન રવાના થવાની હતી.જેમાં 1230 પરપ્રાંતિય શ્રમિકોને રવાના કરવા માટે કોંગ્રેસના નેતાઓ રેલવે સ્ટેશન આવ્યા હતા.પણ પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચેના ઘર્ષણમાં ભાજપે તક ઝડપી હતી.ભાજપના નેતાઓએ આ ટ્રેનને લીલીઝંડી આપી દીધી હતી.
બીજી તરફ કોંગ્રેસ નેતાઓ,કાર્યકર્તાઓ તેમજ આગેવાનોને પોલીસે પ્લેટફોર્મની બહાર નીકળી જવાનું ફરમાન કરતા મામલો માહોલ બગડ્યો હતો. વલસાડના અબ્રામા,મોગરાવાડી,હરિયા,કાંજણરણછોડ હનુમાન ભાગડા,ગુંદલાવ સહિના વિસ્તારમાં કામ કરતા શ્રમિકો પોતાના વતન જવા માટે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર શનિવારે બપોરના સમયે એકઠા થયા હતા.મામલતદાર કચેરી તથા તંત્ર તરફથી નોંધણી કર્યા બાદ ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી હતી.ટિકિટ નક્કી થઈ જતા તમામ શ્રમિકોને એસટી બસમાં રેલવે સ્ટેશન સુધી લાવવામાં આવ્યા હતા.શ્રમિકોને વિદાય આપવા માટે ભાજપ સાંસદ ડૉ.કે.સી. પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ પારડી,ઘારાસભ્ય કનુ દેસાઈ,ભરત પટેલ,અરવિંદ પટેલ તથા ભાજપ કાર્યકરો રેલવે સ્ટેશન પર આવ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા ગૌરવ પંડ્યા,ધારાસભ્ય જીતુ ચૌધરી,જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભોલા પટેલ,યુથ કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ તથઆ કાર્યકરો પણ રેલવે સ્ટેશને આવ્યા હતા.અઢી વાગે ટ્રેન ઉપડવાની હતી.સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીને કોંગ્રેસ ટુકડીને પોલીસે પ્લેટફોર્મ છોડીને જવાનું કહ્યું હતું.જેની સામે કોંગ્રેસ નેતા તથા કાર્યકરો આક્રમક મૂડમાં આવી ગયા હતા.પોલીસ અધિકારીઓ તથા નેતા વચ્ચે તું તું મેં મેં થઈ ગઈ.પોલીસને પ્રશ્ન કર્યો હતો કે,શા માટે શ્રમિકોને મળવા જતા રોકવામાં આવે છે.SP સુનિલ જોષીએ શાંતિથી મામલો થાળે પાડી દીધો.જ્યારે ભાજપના પદાધિકારીઓએ ટ્રેનને લીલીઝંડી આપી દીધી હતી.શ્રમિકોએ જણાવ્યું હતું કે,ટ્રેનમાં પણ સોશિયલ ડિસન્ટન્સિંગ જાળવવામાં આવ્યું છે.
ભોજનની વસ્તુઓ પણ આપી છે.કેન્દ્ર તથા રાજ્ય સરકારનો સહયોગ સારો છે. ડૉ. કે.સી. પટેલે કહ્યું હતું કે, શ્રમિકો સુખમય રીતે પોતાના વતન પહોંચે એ જરૂરી છે જોકે,આ પહેલા સુરતમાં પણ આવી ઘટના જોવા મળી હતી.કોંગ્રેસના નેતાઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.