By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શ્રમિકો પાસેથી બે મહિના સુધી ભાડું નહિં વસુલવા મકાનમાલિકોને અપીલ કરતાં મ્યુ. કમિશનર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > શ્રમિકો પાસેથી બે મહિના સુધી ભાડું નહિં વસુલવા મકાનમાલિકોને અપીલ કરતાં મ્યુ. કમિશનર
GeneralGujarat NowSurat

શ્રમિકો પાસેથી બે મહિના સુધી ભાડું નહિં વસુલવા મકાનમાલિકોને અપીલ કરતાં મ્યુ. કમિશનર

HM News
Last updated: 30/03/2020 12:20 PM
HM News
5 years ago
Share
SHARE

હજી તો લોકડાઉનને અઠવાડિયા જ થયું છે ત્યાં તો અનેક લોકોને ભુખમરા જેવી હાલતમાં આવી ચૂક્યા છે.

સુરત

સુરત શહેરમાં બહારથી આવીને વસેલા શ્રમિકોની હાલત એક અઠવાડિયામાં જ કફોડી થવા માંડી છે. તેઓ માટે હાલની પરિસ્થિતમાં બે સમયનું ભોજન મેળવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે ઘરનું ભાડું તો કેવી રીતે ભરી શકે તે સ્થિતિનો વિચાર કરીને સુરતના મ્યુ. કમિશનરે સુરત પાલિકાની હદમાં રહેતા અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા ભાડુઆતો પાસેથી બે મહિના સુધી ભાડું નહિં વસુલવા મકાનમાલિકોને અપીલ કરી છે.
ઉપરાંત રવિવારે દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો એક યુવાન સેલ્ફ કોરોન્ટાઈન ન રહ્યો અને તેની ટ્રાવેલ હિસ્ટ્રીની જાણ પાલિકાને ન કરતાં અનેક લોકો તેના થકી કોરોના વાયરસના વાહક બની ચૂક્યા હશે તેવો ભય તંત્ર છે. પાલિકાની તપાસમાં લોકજાગૃતિના પગલે આ કેસ બહાર આવ્યો છે. દુબઈની એક જવેલરી કંપનીમાં નોકરી કરતો આ યુવાન તા. 22મીએ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો અને ત્યારબાદ તેના મિત્ર અને પિતા સાથે બાયરોડ વડોદરા આવ્યો જ્યાં રોકાયા બાદ તા. 26મીએ ઉધના પોતાના ઘરે પરત ફર્યો હતો. ઉધના વિસ્તારમાં અમેરિકાથી પરત ફરેલા એક યુવાનની તપાસ માટે પાલિકાની ટીમ દરરોજ ચકાસણી અર્થે જતી હતી આ દરમિયાન એક જાગૃત યુવકે પાલિકાને જાણ કરી કે તમે માત્ર અમેરિકાથી આવનારની તપાસ કરો છો તો દુબઈથી અહીં આવેલા યુવાનની તપાસ કેમ નથી કરતાં? અને આ રીતે આ કેસ બહાર આવ્યો. કોમ્પયુનિટી ટ્રાન્સમિશનના ત્રીજા તબક્કામાં બહાર આવનારો આ કેસથી તનાવ ઊભો થયો છે. જેની હિસ્ટ્રી ધ્યાનમાં લેતા પાલિકા કમિશનરે તેઓની આરોગ્ય ટીમને વધુ સચેત કરી છે. આજરોજ સોમવારથી આ રીતે અવરજવર કરી ચૂકેલા લોકોના નામ અને ડિટેઈલ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન હાથ ધરાશે જેથી તેમના વિશે પાલિકાને માહિતી મળી શકે. જે માટે પાલિકાના ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરી શકાશે.

એક્યુરેટ રેસ્પિરેટરીના કેસોનો સરવે કરવામાં સુરત પાલિકા રાજ્યમાં મોખરે
એક્યુરેટ રેસ્પિરેટરીના કેસો માટે રાજય સરકાર દ્વારા એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સુરત પાલિકાએ 50,77,332 લોકોનો સરવે કરવાનો હતો જે પૈકી પાલિકા કુલ 49,14,471 એટલે 97 ટકા લોકોનો ડોર ટુ ડોર સરવે કરી ચૂકી છે. જે રાજ્યમાં સૌથી અગ્રેસર આંકડો છે.

ભાજપનો વિકલ્પ કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી બની રહી છે…
Your Guide To Synchronous Vs Asynchronous Communication
કોરોનાના લક્ષણ નહિ હોવા છતાંય દર્દીનો રિપોર્ટ પોઝિટિવ,ગુજરાતનો પ્રથમ કેસ
દક્ષિણ ગુજરાત- સંઘ પ્રદેશના રાજકારણમાં સૌથી મોટું અને કદાવર નામ હતું મોહન સાંજીભાઈ ડેલકર, નિધન થતા પ્રદેશના રાજકારણમાં એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો
દેશનો પહેલો થ્રી લેયર બ્રિજ અને સુરતનો 117મો બ્રિજ કેન્દ્ર- રાજ્ય સરકારના પાંચ મંત્રીઓની હાજરીમાં નવસારીના સાંસદ ખુલ્લો મુકશે
Share This Article
Facebook Email Print
Previous Article હજુ ભારતમાં કોરોના ત્રીજો સ્ટેજમાં પ્રવેશ્યું નથી, જો એમ થશે તો દર્દીઓનો રાફડો ફાટશે !
Next Article બોલીવૂડ: કંગનાએ કોરોના મહામારીને અન્ય દેશોની અર્થવ્યવસ્થા પર જૈવિક હુમલો ગણાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up