By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શ્રાવણ માસમાં સોમનાથ દાદાનાં દર્શને જવાનું છે પ્લાનિગ? તો પહેલા જાણી લો બદલાયેલા નિયમો અને સમય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > શ્રાવણ માસમાં સોમનાથ દાદાનાં દર્શને જવાનું છે પ્લાનિગ? તો પહેલા જાણી લો બદલાયેલા નિયમો અને સમય
GeneralSaurashtra

શ્રાવણ માસમાં સોમનાથ દાદાનાં દર્શને જવાનું છે પ્લાનિગ? તો પહેલા જાણી લો બદલાયેલા નિયમો અને સમય

HM News
Last updated: 07/08/2021 9:50 AM
HM News
4 years ago
Share
SHARE

ગીરસોમનાથ : આગામી શ્રાવણ માસને થોડા જ દિવસો બાકી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જોકે, આ વખતે વૈશ્વિક મહામારી કોરોનાની ગાઈડલાઈનને કારણે ઘણા ખરા નિયમોમાં ફેરફાર રહશે.સોમનાથ મંદિરની ત્રણેય પ્રહરની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહિ મળે આ સાથે સામુહિક ઉત્સવોની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બંધ રહેશે.

શિવજીની આરાધનાનો માસ એટલે શ્રાવણ માસ.આ મહિના દરમ્યાન કૈલાશનાં દ્વાર ખુલ્લા હોય છે તેવો શિવપુરાણમાં ઉલ્લેખ છે.આથી શ્રાવણ માસ દરમ્યાન કરેલી શિવ ઉપાસનાનું અનેક ગણું ફળ ભક્તને પ્રાપ્ત થાય છે.શ્રાવણ માસ આડે ગણતરીના દિવસો બાકી રહી છે.ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ પાવન મહિનામાં દર વર્ષે દાદા સોમનાથના દર્શને દેશ વિદેશથી લોકો આવતા હોય છે.પરંતુ છેલ્લા 2 વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાને કારણ કેટલાક નિયંત્રણો અનિવાર્ય બન્યા છે.

જનરલ મેનેજર-સોમનાથ ટ્રસ્ટનાં વિજયસિંહ ચાવડાનાં જણાવ્યા પ્રમાણે, વર્તમાનમાં કોરોનાની બીજી લહેર હળવી બની છે ત્યારે સોમનાથ મંદિર શ્રાવણના દર સોમવારે અને તહેવારો દરમ્યાન વહેલી સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.અન્ય દિવસોમાં સોમનાથ મંદિર સવારે 5.30 વાગ્યે દર્શન માટે ખુલશે.કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે,ત્રણેય આરતી સમયે યાત્રિકોને સોમનાથ મંદિરમાં પ્રવેશ મળશે નહીં.

આ ઉપરાંત યાત્રિકોએ સોશ્યિલ ડિસ્ટનસિંગ, સેનિટાઈઝેશન અને માસ્કનો ઉપયોગ અવશ્ય કરવાનો રહેશે.બહારથી સોમનાથ દર્શને આવનાર યાત્રીઓએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર ઓનલાઈન દર્શનનો સમય બૂક કરીને જ સોમનાથ આવવા સોમનાથ ટ્રસ્ટ અપીલ કરી છે.જેથી બુકીંગ માટે લાઈનમાં ન ઉભવું પડે.આગામી શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.સોશ્યિલ ડિસ્ટનસિંગ માટે સર્કલ બનાવવામાં આવ્યા છે.સેનિટાઈઝેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.માસ્ક વગર દાદા સોમનાથના દર્શન શક્ય નહિ બને.દર્શન માટે ઓનલાઈન અથવા ઓફલાઇન પાસ દર્શનાર્થીઓએ મેળવવાના રહેશે.કોવિડની ગાઈડલાઈન અનુસાર આ વર્ષ જાહેર ઉત્સવ કે સામુહિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં નહિ આવે.મંદિરમાં દર્શન માટે ચાલતા-ચાલતા જ દર્શન કરવાના રહેશે.દર્શન માટે કોઈને ઉભા રહેવા દેવામાં નહિ આવે.

રિસાયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને સાસુ-સસરાએ ધિબેડી નાખ્યો
રશિયા-યુક્રેન વચ્ચે તનાવઃ અમેરિકાએ યુરોપમાં તૈનાત કરી રાખ્યા છે 100 પરમાણુ બોમ્બ
મ.પ્ર.માં ઓનલાઇન શિક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓને રૂ. ૩૫૧ કરોડના યુનિફોર્મની વહેંચણીનો દાવો
JIOએ દેણું ઘટાડવા રૂ. ૪૩,૫૭૪ કરોડનો ફેસબૂક સાથે વેપલો કર્યો!
મહારાષ્ટ્રઃ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર માટે મંજૂરી જરૂરી
Share This Article
Facebook Email Print
Previous Article સ્વીટી પટેલ કેસમાં આવી શકે છે વધુ એક નવો વળાંક….
Next Article મંદિરમાં પૂજા કરવા આવેલી મહિલાને પૂજારીએ વાળ પકડીને મારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up