નવી દિલ્હી, તા. 29 એપ્રિલ 2022, શુક્રવાર : દેશમાં કોલસાનું સંકટ વધારે ગાઢ બન્યું જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ દેશના વિવિધ ઝોનમાં 42 પેસેન્જર ટ્રેન રદ્દ કરી છે.તેના સ્થાને માલગાડીઓનું પરિવહન વધારવામાં આવ્યું છે જેથી વીજ ઉત્પાદક પ્લાન્ટ્સને ઝડપથી કોલસો પૂરો પાડી શકાય.દેશના અનેક પાવર પ્લાન્ટ્સ પાસે જરૂરી 21 દિવસ કરતાં પણ ઓછો કોલસાનો ભંડાર બચ્યો છે.અમુક સ્થળોએ તો કોલસાનો માત્ર એક જ દિવસનો સ્ટોક બચ્યો છે.રેલવેના તાજેતરના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આગામી આદેશ સુધી 42 ટ્રેન રદ્દ કરવામાં આવે છે.તે પૈકીની 34 ટ્રેન સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR) અને 8 ટ્રેન નોર્ધન રેલવે ઝોનની છે.MP અને છત્તીસગઢમાં સાંસદો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યાર બાદ છત્તીસગઢની રદ્દ કરવામાં આવેલી 3 ટ્રેનને રિસ્ટોર કરવામાં આવી છે.ભારતના થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાના સ્ટોક મામલે મોટું સંકટ સર્જાયું છે.આ કારણે કોલસાના પરિવહન માટે યુદ્ધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે.રદ્દ કરવામાં આવેલી ટ્રેનની યાદીઃ