અમદાવાદ : બુધવાર,1 જુન,2022 : બુધવારે સંક્રમણમાં સામાન્ય ઘટાડો થતા સતત બીજા દિવસે અમદાવાદમાં સૌથી વધુ ૨૧ કેસ સાથે ગુજરાતમાં કોરોનાના નવા ૪૦ કેસ નોંધાયા હતા.
એકપણ દર્દીનું મોત થયુ નહોતુ રાજયમાં કુલ ૩૬ દર્દી કોરોનામુકત થયા હતા.૩૧ મેના રોજ અમદાવાદમાં સૌથી વધુ ૩૪ કેસ સાથે રાજયમાં કોરોનાના કુલ ૪૫ કેસ નોંધાયા હતા.બુધવારે દૈનિક કેસમાં ઘટાડો થતા અમદાવાદમાં નવા ૨૧ કેસ નોંધાયા હતા.જે સામે ૨૮ દર્દી સાજા થયા હતા.વડોદરા કોર્પોરેશનમાં સાત અને વડોદરામાં કોરોનાના નવા છ કેસ નોંધાયા હતા.ગાંધીનગર અને સુરત કોર્પોરેશનમાં નવો એક-એક કેસ નોંધાયો હતો.ઉપરાંત ભરુચ,મહેસાણા,પાટણ અને સુરતમાં કોરોનાનો નવો એક-એક કેસ નોંધાયો હતો.રાજયમાં ૨૨૯ એકટિવ કેસ છે આ તમામ સ્ટેબલ પરિસ્થિતિમાં છે.અમદાવાદમાં બુધવારે મ્યુનિ.ના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૪,૧૪૩ લોકોને કોરોના રસી અપાઈ હતી.૨૦૨ લોકોને રસીનો પહેલો ડોઝ,૨૬૦૩ લોકોને રસીનો બીજો ડોઝ તથા ૧૩૩૮ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.


