શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જે લોકોએ અભિનેત્રી કંગના રનૌતનો બંગલો તોડવાની કાર્યવાહી પર તેમની પાર્ટીનો વિરોધ કર્યો હતો તેમણે હાથરસના દુષ્કર્મ બાદ હત્યાનો શિકાર બનેલી છોકરી માટે અવાજ ઉઠાવવો જોઇએ.તેમણે ઉત્તર પ્રદેશના હાથરસમાં પીડિતાના પરિવારથી મળવા જઇ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે કથિત પોલીસ દુર્વ્યવહારની આલોચના કરી છે.
રાઉતે કહ્યું કે જે લોકોએ એક અભિનેત્રીના ગેર કાયદેસર નિર્માણને તોડી પાડવા પર અમારા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તેમણે હાથરસ પીડિતા માટે ન્યાયની માંગ કરવી જોઇએ.રાઉત સાથે કંગનાની જાહેર ચર્ચા બાદ, શિવસેના સંચાલિત મુંબઈ નગર નિગમ દ્વારા અભિનેત્રીના બંગલામાં ગેરકાયદે બાંધકામોને તોડવાની શરૂઆત કરવામાં આવી હતી,જેનાથી તેમની પાર્ટીની ટીકા થઈ હતી.રાહુલ ગાંધીની સાથે ખરાબ રીતે વ્યવહાર પર રાઉતે કહ્યું કે તેમનો ઉદ્દેશ આ સુનિશ્ચિત કરવાનો હતો કે ગરીબ છોકરી અને તેમના પરિવાર દ્રારા ન્યાયની માંગ દુનિયાની સામે ન આવ્યા.