By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સંતરા વેચી ટ્રાન્સપોર્ટ બન્યો, ગરીબીના દિવસો યાદ કરી લોકોને oxygen આપવા ખર્ચી નાખ્યા 85 લાખ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સંતરા વેચી ટ્રાન્સપોર્ટ બન્યો, ગરીબીના દિવસો યાદ કરી લોકોને oxygen આપવા ખર્ચી નાખ્યા 85 લાખ
GeneralNational

સંતરા વેચી ટ્રાન્સપોર્ટ બન્યો, ગરીબીના દિવસો યાદ કરી લોકોને oxygen આપવા ખર્ચી નાખ્યા 85 લાખ

HM News
Last updated: 26/04/2021 9:53 AM
HM News
4 years ago
Share
SHARE

હાલ આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે. કોરોનાએ હદે વકર્યો છે કે હોસ્પિટલમાં બેડ નથી મળતા કે ઓક્સિજનના બાટલા પણ નથી મળતા.હોસ્પિટલની બહાર પણ લાંબી લાઈનો લાગી છે.કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી પ્યારે ખાન આશાનું કિરણ તરીકે ઉભરી આવ્યા છે.ઓટોરીક્ષામાં નારંગી વેચવાનું શરૂ કરનાર પ્યારે ખાન હવે મોટા ટ્રાન્સપોર્ટર છે.સંકટની આ ઘડીમાં તેમણે એક અઠવાડિયામાં 85 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.જેનાથી 400 મેટ્રિક ટન ઓક્સિજન હોસ્પિટલો સુધી પહોંચ્યા છે.

પ્યારે ખાન આજે એક મોટો ટ્રાન્સપોર્ટર છે.તેમની પાસે 300 ટ્રક છે. 400 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે.પ્યારેખાન આશરે 2 હજાર ટ્રકનું નેટવર્ક મેનેજ કરે છે,જેમાં નેપાળ,ભૂટાન,બાંગ્લાદેશમાં ઓફિસો છે.ઓક્સિજન સપ્લાય માટે તેમણે સરકારની કોઈ મદદ લીધી ન હતી અને તે તમામ ખર્ચ પોતે જ ખર્ચ કરી રહ્યો છે.તે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન તેને ‘જકાત’ અથવા દાન તરીકે માને છે.

પ્યારે અત્યાર સુધીમાં નાગપુર સહિતની હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડરની સપ્લાય કરી છે.તેમણે કહ્યું કે તેમણે રાયપુર,ભીલાઇ,રાઉરકેલા જેવા સ્થળોએ સપ્લાય કર્યું છે.તેની પ્રથમમાં એઈમ્સ સહિત અન્ય હોસ્પિટલોમાં 50 લાખ રૂપિયાના 116 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ શામેલ છે.

નાગપુરથી હીરો તરીકે ઉભરી આવેલા પ્યારે ખાનના પિતા તાજબાગ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા.પ્યારેએ 1995 માં નાગપુર રેલ્વે સ્ટેશનની સામે નારંગી વેચીને તેનો ધંધો શરૂ કર્યો હતો.તેણે રીક્ષા ચલાવવાની સાથે ઓર્કેસ્ટ્રા કંપનીમાં પણ કામ કર્યું છે.સખત મહેનતને કારણે રૂ. 400 કરોડની ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક બનેલા પ્યારે ખાનની સક્સેસ સ્ટોરી IIM અમદાવાદ કેસ સ્ટડી છે.

સંસદીય સમિતિએ IIT-IIMની માફક એકાઉન્ટિંગ ઈન્સ્ટિટ્યુટ સ્થાપવા સૂચન કર્યું
જાતરની વિધિ પછી બકરાનું માંસ ખાતા 5 લોકોના મોત, 12 લોકો સારવાર હેઠળ
પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદોમાં સતત વધારો થયો
WHOએ સતત ચીનનો પક્ષ લઈને સાચી જાણકારી છુપાવીઃ ટ્રમ્પનો ગંભીર આરોપ
RSS સાથે સંકળાયેલા સંગઠનની UPમાં મુસલમાનોને જોડવા પહેલ, ધર્મ સંસદના નિવેદનની કરી ટીકા
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું કોરોનાથી નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ
Next Article નિર્મલા સીતારમનના પતિ મોદી સરકાર પર વરસ્યા, કહ્યુ- મદદ કરવાની જગ્યાએ…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up