[weather_data]
Breaking News
TRENDING NEWS

સંપૂર્ણ લોકડાઉનના બીજા દિવસે ગુજરાત સહીત દેશમાં શું થયા ફેરફાર?

[updated_date] [post_views]

Table of Content

રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવના 43 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ ભાવનગરમાં એક 43 વર્ષીય નાગરિકનું મોત નિપજ્યું છે, તે સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસ 3 લોકોને ભરખી ગયો છે. આ મહામારી સામે ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર બાથ ભીડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનમાં બીજા દિવસે ગુજરાત સહિત દેશમાં શું ફેરફાર કરાયા તે નીચે મુજબ છે.

• આજથી ગુજરાતની તમામ કોર્ટ રહેશે બંધ. માત્ર મહત્વના કેસ હશે તે ઓનલાઇન સાંભળવામાં આવશે
• આજથી ગુજરાતભરના પેટ્રોલ પમ્પના સમયમાં ફેરફાર કરાયો છે. સવારના 8થી બપોરના 4 સુધી જ પમ્પ ખુલ્લા રહેશે, જેથી દિવસ આખો કોઈ પેટ્રોલ પમ્પ ઉપર ન આવે
• આજથી ગુજરાતના યાર્ડને ખુલ્લા રાખવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
• ગુજરાતમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત. કુલ સંખ્યા વધીને ત્રણ થઇ
• દેશમાં આજે કોરોનાથી 2 મોત થયા છે અને આંકડો 14 પહોંચ્યો છે અને દર્દીઓની સંખ્યા વધીને।……..થઇ છે
• ગુજરાતમાં સ્વયંભૂ શિસ્ત જોવા મળી. અમુક સોસાયટી મોટાપાયે સ્વચ્છતા અભિયાન ચલાવીને પોતાને સ્વસ્થ રાખવા પ્રયાસ કરે છે.
• ઘણી સોસાયટીમાં જાતે બન્યા સિક્યુરિટી ગાર્ડ, હાલ લોક ડાઉન હોવાથી નથી આવી રહ્યા સુરક્ષાકર્મી
• હજુ ચાલી રહ્યું છે શહેરોથી ગામડા તરફ પલાયન, જૂનાગઢથી અનેક પરિવારો ગામડાઓ તરફ જતા નજરે પડ્યા
• નમાજ અદા પણ હવે ઘરથી જ. દાહોદમાં મુસ્લિમ બિરાદરોએ લીધો મોટો નિર્ણય, અન્ય શહેરોમાં પણ થઇ શકે છે અનુકરણ
• અર્ધલશકરી દળો ગોઠવાઈ રહ્યા છે ગુજરાતના શહેરોમાં, રાજકોટમાં એન ડી આર એફ અને વડોદરામાં આર એ એફની ટીમની તૈનાત કરી દેવામાં આવી છે
• મુખ્યમંત્રી રાહત ફંડમાં વહી રહ્યો છે મદદનો ધોધ
• જરૂરીયાતમંદો સુધી સેવાભાવી સંસ્થાઓ પહોંચાડી રહી છે મદદ
• અમદાવાદ સોસાયટીમાં થઈ રહ્યું છે સેનેટાઈઝીંગ
• સુરતમાં સોસાયટીમાં બનાવાઈ લક્ષ્મણ રેખા

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles