મુંબઈ : મની લોન્ડરિંગ પ્રકરણે બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેએ વિશેષ અદાલતમાં જામીન માટે અરજી કરી હતી.જો કે,અદાલતે વાઝેની જામીન અરજી ફગાવી દેતા વાઝેની ચિંતામાં ધારો થયો છે મની લોન્ડરિંગ પ્રકરણે વાઝે મુખ્ય કડીરૃપ મનાય છે.તેમ છતાં વાઝેએ માફીના સાક્ષીદાર બનાવ ઈડી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો.
એન્ટિલિયા વિસ્ફોટક અને મનસુખ હિરણ હત્યા પ્રકરણે બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે અટકાયતમાં છે.થોડા સમય પહેલાં સચિન વાઝેનું હાર્ટનું ઓપરેશન થયું હતું.ત્યારાદ જેલમાં મોકલવાની જગ્યાએ તેને ઘરમાં જ નજર કેદમાં રાખવા આવે તેવી વિનંતી વાઝેએ કરી હતી.જો કે વિશેષ એનઆઈએ કોર્ટ તે સમયે વાઝેની આ માગણી ફગાવી દીધી હતી.હવે વિશેષ પીએમએલએ કોર્ટ પણ વાઝેની જામીન અરજી ફગાવી દેતા વાઝેની ચિંતામાં વધારો થયો છે.પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા નિવાસસ્થાન બહાર ૨૫ ફેબુ્રઆરીના જીલેટીનની સ્ટીક ધરાવતી એક કાર મળી આવી હતી.આ કાર મુલુંડ-ઐરોલી પુલ પરથી ચોરવામાં આવી હતી.આ કારના માલિક મનસુખ હિરણનો મૃતદેહ પાંચ માર્ચના રોજ કલવાની ખાડીમાંથી મળી આવ્યો હતો.ત્યારબાદ આ સમગ્ર કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી.એનઆઈએએ આ કેસની વધુ તપાસ હાથ ધરી ૧૩ માર્ચના રોજ વાઝેની ધરપકડ કરી હતી.