By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સચિન GIDC કેમિકલ ગેસ દુર્ઘટનામાં ભરુચવાસી આરોપીના જામીન રદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સચિન GIDC કેમિકલ ગેસ દુર્ઘટનામાં ભરુચવાસી આરોપીના જામીન રદ
GeneralSurat

સચિન GIDC કેમિકલ ગેસ દુર્ઘટનામાં ભરુચવાસી આરોપીના જામીન રદ

HM News
Last updated: 16/07/2022 6:04 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સંગમ અન્વાયરોમેન્ટ કંપનીના આરોપી ભાગીદાર મૈત્રય વૈરાગીએ ચાર્જશીટ બાદ સમન્યાયના સિધ્ધાંત હેઠળ કરેલી જામીનની માંગ રદ સચીન જીઆઈડીસીમાં હાઈકેલ કંપનીના ઝેરી કેમીકલ ઠાલવવા દરમિયાન સર્જાયેલા ગેસ કાંડમાં 6 મજુરોના મોત નિપજાવવા તથા 22 ના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવાના સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસામાંવડોદરાની સંગમ એન્વારોન્મેન્ટ કેમીકલ પ્રા.લિ.ના આરોપી ભાગીદારે ચાર્જશીટ બાદ સમન્યાયના સિધ્ધાંત હેઠળ કરેલી જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ દિલીપ પી.મહીડાએ નકારી કાઢી છે.

ગત જાન્યુઆરી માસ દરમિયાન મુંબઈની હાઈકેલ કંપનીના ઝેરી કેમીકલને સચીન જીઆઈડીસીની ખાડીમાં ઠાલવવા દરમિયાન ગેસ દુર્ઘટનામાં છ મજુરોનો મોત નિપજાવવાના કેસમાં મુંબઈની હાઈકેલતથા વડોદરાની સંગમ એન્વાયરોન્મેન્ટ કેમીકલ કંપની(એસઈપીએલ)ના કુલ 18 આરોપીઓ વિરુધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસા બદલ ફરિયાદ નોંધી 13 આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.જે 18 આરોપીઓ પૈકી 9 આરોપીઓ વડોદરાની કેમીકલ કંપનીના છે.

હાલમાં આ કેસમાં ગઈ તા.11મી જાન્યુઆરીથી જેલવાસ ભોગવતા એસઈપીએલના આરોપી ભાગીદાર મૈત્રય સન્મુખ વૈરાગી(રે.મુક્તાનંદ સોસાયટી, જીએનએફસી કોલોની ભરુચ)એ ચાર્જશીટ બાદ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી વિશાલ ફળદુએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી પ્રથમથી જ ગુનામાં સંડોવાયેલા હોવાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપીએ સહઆરોપી આશિષ ગુપ્તા સાથે મળીને બોગસ સરનામા,બિલ્ટી,ઈન્વોઈસ બનાવવામાં મદદ કરી છે.આરોપી અન્ય સહ આરોપીઓ સાથે સતત ફોન પર તથા ઈમેઈલ મારફતે સંપર્કમાં રહીને ગુનામાં સક્રીય ભૂમિકા ભજવી છે.જેથી જામીન મુક્ત આરોપી તથા હાલના આરોપીની ભુમિકા વચ્ચે ઘણો ફેર હોય સમન્યાયના સિધ્ધાંત લાગુ પડી શકે નહીં.આરોપીએ એક નહીં પરંતુ ચાર ટેન્કર એક રાજકોટ સચીન તથા બે અંકલેશ્વરમાં ગેરકાયદે રીતે ખાલી કરી લોકોની જીંદગી તથા પર્યાવરણની પરવા કર્યા વિના જાહેરમાં નિકાલ કર્યો છે.આ ગુનામાં હજુ ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે.

સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલી યુવા મોરચાની મિટિંગમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
સંજય રાઉતના ઘરેથી મળેલા 10 લાખ રૂપિયાના બંડલ પર લખ્યું હતું ‘એકનાથ શિંદે અયોધ્યા’, વિવિધ અટકળો વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો
અમદાવાદના પ્રતિષ્ઠિત બિલ્ડર સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ થઇ
મુંબઈ માતંગી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 14 ફેબ્રુઆરી સોમવારના રોજ મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાશે
મધ્યપ્રદેશ ચૂંટણી : ભાજપનો માસ્ટર પ્લાન, ગુજરાત સહિત આ રાજ્યોના ધારાસભ્યોને કરશે 230 બેઠકો પર તૈનાત
Share This Article
Facebook Email Print
Previous Article ના ખાસઈન્ડીયન એરફોર્સ પ્લેનમાં NDRFની પાંચ ટીમ સુરત પહોંચી
Next Article સસ્તી મશીનરી યોગ્ય નહીં હોવાને કારણે ઉદ્યોગમાં અકસ્માતો થાય છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up