નવીદિલ્હી, તા.26 : વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટસએપ ભલે સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હોય પરંતુ તાજેતરમાં જ સામે આવેલા એક મામલાએ તેની સુરક્ષાની પોલ ખોલી નાખી છે.અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલી તપાસ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને વોટસએપ ચેટસની મદદથી અનેક પૂરાવા મળ્યા અને અનેક મીડિયા ચેનલ્સે પણ કેસ સાથે જોડાયેલા નામોની વોટસએપ ચેટ શેયર કરી હતી.આ બધાની વચ્ચે એપ પર મળનારા એનક્રિપ્શન અને યુઝર્સની પ્રાઈવસીને લઈને એક મહત્ત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે.શું સરકાર તમારી ચેટસ વાંચી શકે છે અથવા તો પછી મોકલનાર અને મેળવનાર ઉપરાંત કોઈ ત્રીજી વ્યક્તિ વોટસએપ મેસેજને એક્સેસ કરી શકે છે ? આ સવાલોનો જવાબ કરોડો યુઝર્સ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.કરોડો યુઝર્સ ધરાવતા મેસેજિંગ પ્લેટફોર્મ વોટસએપ દ્વારા યુઝર્સના ચેટને સુરક્ષિત હોવાનો દાવો એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શનના હવાલાથી કરવામાં આવે છે.એનક્રિપ્શનનો મતલબ છે કે કોઈ મેસેજ અથવા ડેટા કોડ ફોર્મેટમાં સ્ટોર થાય છે.વોટસએપ પર મળતાં એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શનનો મતલબ છે કે કોઈ મેસેજ અથવા મીડિયા માત્ર મોકલનાર અને મેળવનાર જ પોતાના એન્ડ પર એક્સેસ કરી શકે છે તેથી આ વસ્તુ કોઈ જીતી વ્યક્તિ સુધી પહોંચી શકતી નથી.
સુશાંત કેસમાં વ્યક્તિગત ચેટ લીક થયા બાદ હવે વોટસએપ દ્વારા ફરી એક વખત આ જ વાત દોહરાવવામાં આવી રહી છે.કંપનીએ કહ્યું કે કે વોટસએપ પોતાના યુઝર્સની પર્સનલ ચેટસને ક્યારેય વાંચતું નથી.
વોટસએપ પર કરવામાં આવતાં મેસેજ, વીડિયો અને ઓડિયો કોલ્સ સંપૂર્ણ રીતે અનક્રિપ્ટેડ છે.આવામાં જ્યારે કોઈ સેન્ડર મેસેજ મોકલે છે તો તે કોડમાં બદલાઈ જાય છે અને આ કોડ રિસીવરના ડિવાઈસમાં બીજા મેસેજના સ્વરૂપે દેખાય છે.આ બધાની વચ્ચે કોઈ પણ થર્ડ પાર્ટી તે મેસેજ મેળવી શકતી નથી.અહીં થર્ડ પાર્ટીનો મતલબ કોઈ એપ,સર્વિસ અથવા હેકર છે.ખુદ વોટસએપ પણ આ દરમિયાન તમારા મેસેજ એક્સેસ કરી શકતું નથી.જો કે સેન્ડર અને રિસીવરના ડિવાઈસથી કોઈ અન્ય આ મેસેજ સુધી પહોંચી શકે છે કે મતલબ કે એનક્રિપ્શન પોતાનું કામ કરી રહ્યું છે પરંતુ મેસેજની સુરક્ષાની ગેરંટી નથી.
વોટસએપ પર કોઈ બીજા યુઝર્સના મેસેજ વાંચવા અને ડેટા ચોરવાની સૌથી સરળ રીત તેની ઓળખ ચોરી કરવાની છે.જો વોટસએપને લાગશે કે તમે સેન્ડર અથવા રિસીવરમાંથી કોઈ એક છે તો એનક્રિપ્શન છતાં તમે તે મેસેજ વાંચી શકશો.આ માટે ક્લોનિંગ એક રીત હોઈ શકે છે અને કોઈ યુઝર્સની ઓળખ ચોર્યા બાદ તેનો ડેટા બીજી ડિવાઈસ પર કોપી કરી શકાય છે. કોઈના ફોનને અડ્યા વગર પણ એપની મદદથી તેની ઓળખ ચોરી કરી શકાય છે.
અંતે ભૂલ થાય છે ક્યાં ?
વોટસએપ પર એકાઉન્ટ બનાવવા માટે યુઝર્સને માત્ર એક મોબાઈલ નંબરની જરૂર હોય છે અને તેના ઉપર આવનારા મેસેજ દ્વારા ઓળખનું વેરિફિકેશન થાય છે. વોટસએપ બાકી સોશ્યલ મીડિયા સર્વિસની જેમ યુઝર્સને કોઈ પીન અથવા પાસવર્ડ સેટ કરવાનો વિકલ્પ આપતું નથી જેના વગર એકાઉન્ટમાં લોગ ઈન ન કરી શકાય. આ વાતનો મતલબ છે કે જો કોઈ યુઝર્સનો નંબર ક્લોન કરી લે તો તેનું વોટસએપ એકાઉન્ટ બનાવી શકાય છે અને કોઈ પણ જૂની ચેટ બેકઅપ થવા પર તેને રિસ્ટોર પણ કરી શકાય છે.વોટસએપનું 2એફએ (ટુ-ફેક્ટર ઓર્થેટિકેશન) પણ આવામાં કામ કરતું નથી કેમ કે તેના માટે આવનારો છ ડિઝિટ કોડ પણ યુઝર્સના કોન્ટેક્ટ નંબર પર આવે છે.