સમાજમાં દાખલો બેસાડ્યો: એક વ્યક્તિએ કિન્નર સાથે રીતિરિવાજ થી લગ્ન કર્યા, ટીકટોકથી પરિચયમાં આવ્યા હતા

HM News
2 Min Read

મહારાષ્ટ્રના નાસિકમાં એક લગ્ન આજકાલ ચર્ચાનો વિષય છે.અહીં એક યુવકે સંપૂર્ણ રીતરિવાજ સાથે એક કિન્નર સાથે લગ્ન કર્યા છે.તેના પરિવારના સભ્યોએ પણ કિન્નર વહુ ને ખુલ્લા મનથી સ્વીકારી છે.લગભગ 15 દિવસ પહેલા એક સામાન્ય સમારોહમાં યોજાયેલા આ લગ્નની ચર્ચા સમગ્ર નાસિક જિલ્લામાં થઈ રહી છે.ઘણા દિવસો પછી પણ ઘણા લોકો દરરોજ કિન્નર પુત્રવધૂને મળવા તેના ઘરે આવતા હોય છે.

નાસિકના મનમાદમાં રહેતા સંજય ઝાલ્ટેએ સમાજ અને લોકોની પરવા કર્યા વિના 15 જૂને લક્ષ્‍મી નામના એક કિન્નર ને પોતાની પત્ની બનાવી છે.આ લગ્ન મંદિરમાં કોરોના સંક્રમણ સમયગાળા દરમિયાન થયાં હતાં.આ લગ્નમાં વધુ લોકો જોડાયા ન હતા,પરંતુ અહીં આવેલા તમામ લોકોએ આ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.સંજય કહે છે કે આ પ્રકારના લગ્નથી તે સમાજને સંદેશ આપવા માંગે છે.

સંજય ઝાલ્ટે અને કિન્નર ‘શિવલક્ષ્‍મી’ ની ઓળખાણ ટિકટોક દ્વારા થઈ હતી.થોડા દિવસોમાં જ ઓળખ પ્રેમમાં ફેરવાઈ અને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.સંજયે તેની ઇચ્છા તેની માતાને જણાવી અને પછી તેની માતા શિવલક્ષ્‍મી પાસે ગઈ. તેમની સ્વીકૃતિ પછી, બંનેના લગ્ન મનમદના પ્રાચીન શિવ મંદિરમાં થયા.શિવલક્ષ્‍મીના કેટલાક અન્ય કિન્નરો પણ આ લગ્નમાં સામેલ થયા હતા.

આ લગ્ન અંગે સંજય ઝાલ્ટેએ કહ્યું કે કિન્નર પણ મનુષ્ય જ છે.તેની પણ પોતાની જિંદગી છે.તો તેની સાથે લગ્ન કરવામાં મુશ્કેલી શું છે? નવું જીવન શરૂ કરતી વખતે સંજયે એક ગીતની કેટલીક લાઈનો પણ કહી હતી કે ‘કુછ તો લોગ કહંગે લોકો કા કામ હૈ કહેના’. સંજયની માતા કહે છે કે તે સાંભળીને આશ્ચર્ય થાય છે કે દીકરાએ કોઈ કિન્નર સાથે લગ્ન કર્યા છે. પરંતુ એ પણ સાચું છે કે બંનેએ સમાજની સામે એક નવો આદર્શ રજૂ કર્યો છે. હાલમાં આ લગ્ન ગામના લોકો માટે પણ ચર્ચાનો વિષય છે.

શિવલક્ષ્‍મી કહે છે, “ભારતીય સંસ્કૃતિમાં છોકરી લગ્ન પછી તેના પતિના ઘરે જાય છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને પુત્રવધૂ તરીકે સ્વીકારવામાં આવશે, પરંતુ અમારા બંનેના પરિવારે સમાજની તમામ રૂઢીચુસ્ત પરંપરાઓ કરતાં વધુ અમારા સંબંધને મહત્ત્વ આપ્યું.મારા નામના ખરા અર્થમાં મને લક્ષ્‍મી તરીકે સ્વીકારી એ એક સપના જેવું જ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *