By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકારનો ફરી ખુલાસો : દુકાનો 12 વાગ્યા સુધી નહીં દિવસભર રહેશે ખુલ્લી, સ્થાનિક પોલીસને નથી પાવર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > સરકારનો ફરી ખુલાસો : દુકાનો 12 વાગ્યા સુધી નહીં દિવસભર રહેશે ખુલ્લી, સ્થાનિક પોલીસને નથી પાવર
Breaking News

સરકારનો ફરી ખુલાસો : દુકાનો 12 વાગ્યા સુધી નહીં દિવસભર રહેશે ખુલ્લી, સ્થાનિક પોલીસને નથી પાવર

HM News
Last updated: 22/04/2020 8:01 AM
HM News
5 years ago
Share
SHARE

સમગ્ર વિશ્વમાં અને ભારતમાં હાલ કોરોનાની મહામારીના કારણે ઝઝૂમી રહ્યું છે,ત્યારે આવા સમયે આ વાયરસથી બચવા માટે લોકડાઉનનો રસ્તો અપનાવવાામાં આવ્યો હતો.ગુજરાતમાં કોરોનાના કારણે સ્થિતી અત્યંત ચિંતા જનક છે,સૌથી વધુ ખતરો અમદાવાદમાં જણાઈ રહ્યો છે,જો કે, 24 તારીખથી દેશમાં અને ગુજરાતમાં લોકડાઉન હોય,જેના કારણે લોકો ઘરોમાં કેદ થતાં જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં અને આવી કપરી પરિસ્થિતીમાં જીવનમાં બેલેન્સ જાળવવું અઘરુ સાબિત થાય છે.હાલમાં જ્યાં કરફ્યું નથી તેવા વિસ્તારોમાં પણ પોલીસે સ્થાનિક આગેવાનો સાથે મળીને બજાર બંધ કરાવ્યું છે.આ બાબતે સોસાયટીઓમાં વોલેન્ટિયર્સની પણ નિમણુંક કરાઈ છે.સરકારે આ બાબતે અગાઉ પણ ખુલાસો કર્યો હતો.આજે ફરી ખુલાસો કર્યો છે કે કોઈ ફિક્સ સમય નકકી કરાયો નથી કે 8થી 12 જ બજાર ખુલ્લું રહેશે.જાહેરનામામાં દુકાનો કેટલો સમય ચાલુ રાખવા દેવી તેવો કોઈ ખુલાસો નથી.જેથી પોલીસ સ્ટેશનના સ્તરેથી આવી જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદીના સમય અંગે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લઇ શકાય નહીં.

લોકડાઉન વધારતા આ માટેની ખાસ છૂટ

લોકડાઉનને કેન્દ્ર સરકાર તરફથી ફરી એક વાર વધારીને 3 મે સુધી લંબાવવામાં આવતા સ્વાભાવિક પણે જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ ખાસ કરીને દવાઓ અને શાકભાજી તથા કરિયાણા સંબંધિત વસ્તુઓ માટે ખાસ્સી તકલીફો થતાં કેન્દ્રના આદેશને ધ્યાને રાખી અમદાવાદ શહેરમાં પણ લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.ખાસ કરીને જૂના અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં કર્ફ્યુનો માહોલ છે,આ વિસ્તારોમાં કોરોનાની વધુ દહેશત હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ આજે ફરી ખુલાસો કરીને તમામ પોલીસ ઇન્સપેક્ટરોને આદેશ કર્યો છે કે, દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરવો નહીં.પોલીસ સ્ટેશનનો આ અંગે કોઈ અધિકાર નથી. ફક્ત તમે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય એ નિયમની અમલવારી કરો.સ્થાનિક સ્તરેથી પોલીસે વોલેન્ટિયર્સની નિમણુંક કરતાં આ વોલિન્ટિયર્સ પણ સોસાયટીના રહીશોને જરૂરી ચીજવસ્તુઓ માટે બહાર નીકળવા દેતા નથી.જ્યારે આવો કોઈ નિયમ નથી. સુરક્ષા એ અગત્યની છે પણ જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે બહાર ન નીકળવા દેવા એ નિયમોની વિરુદ્ધમાં છે.

સુરતમાં લિંબાયત વિસ્તાર રેડ ઝોન જાહેર : 32 હજાર લોકોને કરાયા ક્વૉરન્ટાઇન
શું સાઉદીના શાહી પરિવારના 150 લોકોને થયો કોરોના ? આઈસોલેશનમાં કિંગ અને પ્રિંસ સલમાન
બહુ ગાજેલા પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું
એસટી વોલ્વો ભાડે રાખી સરકારે છેલ્લા ૨ વર્ષમાં ૭૯ કરોડ ચૂકવ્યાં
બ્રિજ પર જાનૈયાઓનાં ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા લોકો નદીમાં ખાબક્યા, ૬નાં મોત
Share This Article
Facebook Email Print
Previous Article દેશમાં કોરોનાને મામલે ગુજરાત બીજા ક્રમાંકે
Next Article ક્રૂડના કડાકાથી MCXમાં બ્રોકરોને ૪૫૦ કરોડનું નુકશાન : આજે હાઈકોર્ટમાં જાય તેવી શકયતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up