By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકારી કચેરીમાં માત્ર 50 ટકા સ્ટાફને રોટેશનથી હાજર રાખવાનો નિર્ણય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સરકારી કચેરીમાં માત્ર 50 ટકા સ્ટાફને રોટેશનથી હાજર રાખવાનો નિર્ણય
GeneralGujarat NowSurat

સરકારી કચેરીમાં માત્ર 50 ટકા સ્ટાફને રોટેશનથી હાજર રાખવાનો નિર્ણય

HM News
Last updated: 22/03/2020 10:38 AM
HM News
5 years ago
Share
SHARE

– 23મીથી 29મી માર્ચના ગાળા માટે જોગવાઈ કરવામાં આવી
– જીવનાવશ્યક ચીજવસ્તુઓ અને સેવા આપતી સંસ્થાઓ સિવાયના તમામ કોમર્શિયલ એકમોને 25 માર્ચ સુધી લોક ડાઉનનો આદેશ

સુરત, રાજકોટ, અમદાવાદ ને વડોદરામાં જીવનાવશ્યક ચીજવસ્તુઓ અને સેવા આપતી સંસ્થાઓ સિવાયના તમામ કોમર્શિયલ એકમોને 25 માર્ચ સુધી લોક ડાઉનનો આદેશ
કોરોના વાયરસનો ચેપ વધુ લોકો સુધી ન ફેલાય તે માટેની તકેદારીના પગલાં રૂપે ગુજરાત સરકારે આજે એક ખાસ પરિપત્ર કરીને ગુજરાત સરકારની તમામ કચેરીઓના, મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ, ગ્રામ પંચાયતો અને બોર્ડ-નિગમ સહિતની તમામ કચેરીના વર્ગ બે, ત્રણ અને ચારના કર્મચારીઓને સોમવાર 23મી માર્ચથી રોજ રોજ ઑફિસમાં હાજર ન રહીને એકાંતરે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનો અત્યારે તો 29મી માર્ચ સુધી અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોના વાયરસનો ભય ત્યારબાદ કેવો અને કેટલો રહ ેછે તેને આધારે આ સૂચનાને વધુ સમય સુધી લંબાવવી કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં દવાઓ, તબીબી ઉપકરણો, શાકભાજી, કરિયાણું અને જીવનાવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો, સંસૃથાઓ અને અન્ય જીવનાવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો, મોલ્સ, 25મી માર્ચ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાતના તમામ કલેક્ટરની કચેરીને આ આદેશ પાઠવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ દયાણીની સહી સાથે આજે કરવામાં આવેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નોવેલ કોરોના વાયરસ – કોવિડ 19નો ચે ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. સરકારના જાણકાર સૂત્રોનું કહેવું છે કે કચેરીના વડા, વિભાગના વડા અને હેડ ઑફ ડિપાર્ટમેન્ટે કયા કર્મચારીને કઈ તારીખે ઑફિસ ન આવવાની સૂચના આપવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.

રોટેશન એટલે કે એક એક દિવસના અંતરે ઑફિસ સ્ટાફના 50 ટકા લોકોને રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસૃથાને પરિણામે કોઈપણ તબક્કે ઑફિસમાં 50 ટકા સ્ટાફ ઉપસિૃથત રહે તેવી વ્યવસૃથા કરવામાં આવી છે.

ગુજરાત સરકારમાં વર્ગ 2, 3 અને 4માં મળીને કુલ અંદાજે 5 લાખથી વધુ કર્મચારીઓ છે. તેમને તમામને આ વ્યવસૃથા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જોકે કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટેના કામકાજમાં અત્યારે જોતરી દેવામાં આવેલા કર્મચારીઓને રોટેશનની આ વ્યવસૃથાનો લાભ ન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ સરકારે ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દવાઓ, તબીબી ઉપકરણો, શાકભાજી, કરિયાણું અને અન્ય જીવનઆવશ્યક વસ્તુઓનો વેપાર કરતી દુકાનો અને સંસૃથાઓ સિવાયની તથા જીવનાવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી સંસૃથાઓ સિવાયની તમામ સંસૃથાઓને આગામી 25મી માર્ચ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ કર્યો છે.

શાળા કૉલેજોના આચાર્યોને પણ 50 ટકા સ્ટાફને રોટેશનથી હાજર રાખવા હુકમ

ગુજરાતની તમામ શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓમાં પણ વગ્ર 2, 3 અને 4ના ટીચિંગ અને નોન ટિચિંગ સ્ટાફના 50 ટકા સ્ટાફ જ 23મી માર્ચથી 29મી માર્ચ સુધી સંસૃથામા હાજર રહે તેવી જોગવાઈ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. સ્ટાફને રોટેશનથી હાજર રાકવાનો નિર્ણય શાળા કૉલેજના આચાર્યને લેવા જણાવવામાં આવ્યું છે. બોર્ડ નિગમની કચેરીઓને પણ આ સૂચના હેઠળ આવરી લેવામાં આવી છે. 29મી માર્ચે કોરોના વાયરસની અસરની સિૃથતિની સમીક્ષા કર્યા બાદ આ જોગવાઈને લંબાવવી કે નહિ તે અંગે નિર્ણય લેવામાં ાવશે.

કોંગ્રેસ પાર્ટીને સુરતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હારી જનાર ઉમેદવાર ધનસુખ રાજપુત પર ભરોસો
2024 પર કોંગ્રેસની નજરઃ વ્હોટ્સએપ્સ ગ્રુપ્સને જોડવા ‘રાહુલ કનેક્ટ’ એપ, ઓનલાઈન કેડર એપ પણ બનશે
જાણો પક્ષપલટાના કાયદા વિશે જેનો શિવસેનાના બળવાખોરો લઈ શકે છે લાભ
ગ્રેટર નોઈડામાં વધુ બે કોરોના પોઝિટિવસ : દેશભરમાં કુલ 429 કોરોનાગ્રસ્ત
સાવધાન ઈંડિયા ફેમ બે ટીવી અભિનેત્રીને ચોરીના કેસમાં મુંબઈ પોલીસે કરી ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article જો એક મહિનામાં કોરોના ખત્મ થશે નહીં તો 2008ની મંદી જેવા એંધાણ
Next Article સુરતમાં સારવાર કરી રહેલા ડોક્ટરને પણ ચેપ લાગ્યો…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up