નવી દિલ્હી : તા.10 જૂન 2022,શુક્રવાર : કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલ સાતમા પગાર પંચ(7th Pay Commission)પ્રમાણે વેતન મળી રહ્યું છે.જોકે એવું બની શકે કે,પગાર વધારા માટે લાગુ કરવામાં આવેલું આ અંતિમ પગાર પંચ હોય.કેન્દ્ર સરકાર હવેથી કર્મચારીઓના પગાર માટે નવી ફોર્મ્યુલા લાગુ કરીને પગાર પંચની પ્રથા બંધ કરવા અંગે વિચારણા કરી રહી છે.પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીએ વર્ષ 2016માં આ નવી ફોર્મ્યુલા અંગે વાત કરી હતી પરંતુ તેમના અવસાન બાદ એ ફાઈલ અભેરાઈ પર ચઢાવી દેવાઈ હતી.
એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર કર્મચારીઓના વેતન વધારા માટે પગાર પંચને બદલે કશુંક નવું લાવે તેવી શક્યતા છે.સરકાર આઠમું પગાર પંચ નહીં લાવે તેવી શક્યતા જણાઈ રહી છે.કર્મચારીઓના પગારમાં હવેથી તેમના પરફોર્મન્સના(Performance linked increment)આધાર પર વધારો થઈ શકે છે.સરકાર દ્વારા હાલ નવી ફોર્મ્યુલાના ફાયદા અને ગેરફાયદા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.પગાર પંચના બદલે કર્મચારીઓના પગારમાં વધારા માટે તેમના પરફોર્મન્સના આધાર પર સેલેરી હાઈક આપવાનો વિચાર પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનો છે.તેમણે જુલાઈ 2016માં આ દિશામાં ઈશારો કરતા કહ્યું હતું કે,’આપણે હવે પગાર પંચમાંથી (Pay Commission)બહાર આવીને હવે કર્મચારીઓ માટે પણ વિચારવું જોઈએ.’